________________
હરિ 9 ક રત્નત્રયી ઉપાસના આ છએ વેશ્યાવાળા જીવોના વિચારોના વિષયમાં એક દષ્ટાંત પ્રસિદ્ધ છે. છ પ્રવાસીઓ જંગલના માર્ગ પર જઈ રહ્યા છે. માર્ગ ભૂલી જતાં ફરતાં ફરતાં તેઓ એક આંબાના વૃક્ષ પાસે પહોંચ્યા તે આંબો ફળોથી લચી પડેલો જોઈને કૃષ્ણ લેશ્યવાળાએ કહ્યું કે ચાલો આ ઝાડને મૂળથી ઉખેડી પછી તેની કેરીઓ ખાઈએ, નીલ વેશ્યાવાળાએ કહ્યું કે મૂળથી નહિ, થડથી કાપીને ઝાડને પાડી નાંખીએ, અહીં કાપીત વેશ્યાવાળાએ સૂચવ્યું કે હું તો મોટી-મોટી ડાળીઓ જ તોડીને કેરીઓ, ખાઈશ, ત્યારે પીત વેશ્યાવાળાએ કહ્યું કે આથી તો વૃક્ષની શોભા નષ્ટ થશે, હું તો નાની-નાની ડાળીઓ જેની પર કેરીઓ છે તેજ તોડીશ, જ્યારે શુક્લ લેશ્યાવાળા જીવે વિચાર્યું કે ફળો ખાવાની ઈચ્છાથી આટલી મોટો આરંભ કરવા કરતાં, હું તો માત્ર સ્વયં તૂટી પડેલી કેરીઓ જ વીણીને ખાઈશ.
આમ આજ વેશ્યાઓ અનુસાર લેશ્યાગત ભાવો જ જીવને આયુષ્ય અને ગતિઓનો બંધ કરે છે. છતાં સંપૂર્ણ લેશ્યાગત ભાવોથી આયુષ્યનો બંધ થતો નથી પણ મધ્યના આઠ અંશો દ્વારા જ થાય છે. વિષય ઘણો ગહન-ગંભીર હોઈ અહીં આપવો શક્ય નથી.
આપના પરિવારના કોઈપણ સભ્યનો જન્મદિન '
પશુ-પરિવારના એકાદ સભ્યને જીવનદાન આપીને ઉજવો. આપના પરિવારમાં આવી ઉભેલા લગ્નોત્સવને
એકાદ પશુયુગલનો જીવનોત્સવ બનાવો. કર્મસંયોગે આવેલી માંદગીની અશાતા ટાળવા
કોઈ પશુને અભયદાન આપી મહાશાતા આપો. સ્વજનના મૃત્યુના દુઃખદ પ્રસંગે એકાદ પશુને
મૃત્યુનાં મુખમાંથી છોડાવી સાંત્વના પ્રાપ્ત કરો. પવિત્ર પર્વના ધર્મોત્સવમાં એકાદ જીવને
પણ જીવન બક્ષી પર્વોપાસનાને દયાના ગથી મઢી દો.
પાંખો વગર ઉડતી હોય અને પગ વગર દોડતી હોય, એનું નામ અફવા.