SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1179
Loading...
Download File
Download File
Page Text
________________ ઈલાચીકુમારની કથા રહ્યા છીએ ! અરે આ ઈંદ્રજાળ નથી ! ત્યારે શું ઈલાચીકુમાર પરમાત્મા બન્યા? લોકો તો ભારે આશ્ચર્ય પામ્યા, જય-જયના ગુંજારવોથી ગગન ગુંજી ઉઠ્યું. માટે જ કહ્યું છે કે ‘જીવનમાં અજબ ઘડી એક આવે.' મહારાણી બધું નિહાળી રહ્યાં હતાં. મહારાણીને મહારાજા ઉપર ભારે તિરસ્કાર છૂટ્યો: ‘અંતે ઉરમાં આટઆટલી રૂપાળી રાણીઓ હોવા છતાં મહારાજા આ નટડીમાં મુગ્ધ બન્યા છે. ધિક્કાર છે ! ફીટકાર છે ! આ સંસાર ખરે જ અસાર છે. નાહક આવા અમૂલ્ય માનવદેહને આત્મા વિષય-વિકારમાં વેડફી રહ્યો છે. રાણી ભાવના ભાવે છે કે ક્યારે હું આ સંસારનો ત્યાગ કરી પવિત્ર ચારિત્ર અંગીકાર કરીશ? રાણીને સંસાર ઝેર જેવો લાગ્યો. પવિત્ર ભાવનામાં ચઢતા તે જ ક્ષણે રાણીના કર્મપડલ છૂટી ગયા તે કેવલજ્ઞાન અને કેવલદર્શનને વર્યા. આ દશ્યો જોતાં જ મહારાજાનું હૃદય પલાટાયું. ‘ખરે ! જ હું અધમ છું, પાપી છું, મારી કેવી બૂરી ભાવના ! આ નટને મારી નાંખવા સુધીની ભાવના. ‘નટ પડે, નટડી મળે અને મારા મનોરથ ફ્ળ', એ જ હું ઈચ્છતો હતો, આટઆટલી રાણીઓ અંતેઉરમાં હોવા છતાં એક નીચ નટડીમાં હું મુગ્ધ બન્યો! ધિક્કાર છે મને! મારા શા હાલ થશે ? હું પણ આ સંયમમાર્ગે પ્રયાણ કરી આત્મકલ્યાણ સાધું. મહારાજા મહીપાળ પણ ભાવનારસમાં ચઢ્યા. ભાવના સાચી હતી. સંસાર અસાર લાગ્યો: ચારિત્ર સાર લાગ્યું. પોતાને ધિક્કારતા મહારાજાએ કર્મમળને પવિત્ર ભાવના-જળથી ખાળી નાંખ્યાં. મહારાજા નિર્મળ બન્યા. ઘાતિકર્મની બેડી તૂટી અને મહારાજા તે જ ક્ષણે કેવળજ્ઞાન પામ્યા. કેવી ગજબ ઘટના ! જનતા તો વાતોના રસમાં ચઢી. આ અજબ ગજબ આશ્ચર્ય સૌ કોઈ નિહાળી રહ્યાં હતાં. કોઈ કંઈ, કોઈ કંઈ એમ પરસ્પર સૌનાં મુખથી અવનવી વાતો વ્હેતી થઈ રહી હતી. - ૮૬૩ હવે રહી નટડી, નટડીએ પણ વિચાર્યું: ‘સાચે જ મારા રૂપનો વાંક છે. હું આવી રૂપાળી છું. માટે જ આ મહારાજા અને આ ઈલાચી મારા રૂપમાં મોહાણા. ધિક્કાર હો મારી જાતને ને મારા રૂપને ! મારા રૂપની ખાતર આ નટે ઘરબાર તજ્યાં અને લંગોટી વાળી જીવનું જોખમ ખેડ્યું. રાજાની ભાવના બગડી આ બધાનું કારણ હું પોતે જ છું. હું જ ન હોત તો આમ ન બનત. બસ, આ સંસાર કારમો ઝેર જેવો છે. હું પણ એ પવિત્ર ચારિત્રમાર્ગે સંચરી ક્યારે આત્મકલ્યાણ કરીશ ?' પોતાના રૂપ ઉપર તિરસ્કાર છૂટ્યો. એને સંસાર કારાગૃહ જીભના ટેસ્ટ’ માટે જીંદગી ને ‘વેસ્ટ' કરનારાઓમાં આપણો તો નંબર નથી ને?
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy