SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1128
Loading...
Download File
Download File
Page Text
________________ 2૧૨ રત્નત્રયી ઉપાસના દેવના ભવોને વિષે પણ મેં ક્રીડાના પ્રયોગથી, લોભ બુદ્ધિથી જે જીવોને દુઃખી કીધા હોય તેને પણ ત્રિવિધે હું નમાવું છું. ર૯ ભવનપતિને વિષે તામસભાવમાં વર્તતો છતો નિર્દયપણાથી હણાયેલા એવા મેં જે જીવોને દુઃખી કીધા હોય તેને પણ હું ખાવું છું. ૩૦ વ્યંતરના ભાવમાં પણ મેં ક્રીડાના પ્રયોગથી જે જીવોને દુઃખ ઉત્પન્ન : કીધાં હોય તેને પણ હું માનું . ૩૧ જ્યોતિષમાં ગયેલો પણ વિષયમાં મોહિત-મૂઢ મેં જે કોઈ જીવને દુઃખી કીધા હોય તેને પણ હું ખાવું છું. ૩૨ આભિયોગિક દેવમાં પ્રાપ્ત થયેલી પરિદ્ધિમાં મત્સરવાળા, લોભથી પરાભવ પામેલા, મોહમાં વશીભૂત મેં જે જીવોને દુઃખ દીધું હોય તેને પણ હું નમાવું . ૩૩ આ ચાર ગતિમાં મેં જે કોઈ જીવને પ્રાણ થકી મુક્ત કીધા, દુઃખમાં પાડયા હોય તે બધાને હું નમાવું છું. ૩૪ મેં જે જે અપરાધ કીધા છે તે તે બધા અપરાધોને હે જીવો! મધ્યસ્થ થઈને, વેર મૂકીને ખમો અને હું પણ ખમાવું . ૩૫ આ સંપૂર્ણ જીવલોકમાં મારો કોઈ પણ દોષ નથી, હું જ્ઞાનદર્શનસ્વભાવવાળો છું, એક છું. મમત્વભાવ રહિત છું. ૩૬ મને અરિહંત અને સિદ્ધનું શરણ થાઓ; સાધુ અને કેવલી ભાષિત ધર્મ મને પરમ મંગલિક થાઓ, કર્મક્ષયનું કારણ એવા પંચ પરમેષ્ઠિનું શરણ મને થાઓ. ૩૭ આ ખામણા ચાર ગતિમાં રહેલા જીવોને ભાવશુદ્ધિ અને મહાકર્મક્ષયનું કારણ છે. જીવનની શુદ્ધિ અને વિચારોની શુદ્ધિ માટે સમ્યગ્દર્શન અનિવાર્ય છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy