SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1123
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ ચિંતવન કરવાની ભલામણ 9TH ૮૦૭ કુટુંબીઓને રડવા-કુટવાની ના પાડવી, શોક પાળવાની ના પાડવી. મરણ પછવાડે જે જે આરંભાદિક કાય મોહના પ્રભાવથી કરે તેનો નિષેધ કરવો. તે છતાં કદાચ પાછલા કુટુંબીઓ કરે તો પછી મરનારને દોષ કે પાપબંધન થાય નહિ, અને તેમ ન કહેવામાં આવે તો તેની ક્રિયા મરનારને લાગે. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે – અવિરતિપણાને લીધે એકેન્દ્રિય જીવોને પણ અઢાર પાપસ્થાનક લાગે છે. માટે તમામ વસ્તુ વોસિરાવીને પાછળ પણ પોતાના નિમિત્તે કર્મબંધનની જે – જે ક્રિયાઓ કરવામાં આવે તેમ હોય તો તેની ના પાડવી. જે જીવોનું ચિત્ત સંસારના પદાર્થોમાં આસક્તિવાળું છે અને પોતાના સ્વરૂપને જે જાણતા નથી, તેવા જીવોને મૃત્યુ ભયમય છે, પરંતુ જેઓ પોતાના સ્વરૂપમાં રમણતા કરનારા છે અને સાંસારિક પદાથોમાં વૈરાગ્યવાળા છે, તેવા જીવોને તો મૃત્યુ એ એક હર્ષનું નિમિત્ત છે. તેઓ તો એમ જ વિચારે છે કે આયુષ્યકર્મના નિમિત્તથી જ આ દેહનું ધારણ કરવાપણું છે, અને તેની સ્થિતિ પૂર્ણ થયે તે કર્મના પુદ્ગલો નાશ પામશે ત્યારે મારે બીજી ગતિમાં ઉત્પન્ન થવું પડશે, મારો આત્મા તો અનાદિકાળથી મરણ પામ્યો નથી અને મરશે પણ નહિ; પરંતુ પુણ્યશાળી આત્માને તો આ સાત ધાતુમય મહા અશુચિના કોથળા જેવા અને વિનશ્વર સ્વભાવવાળા દેહનો ત્યાગ કરવો. અને શુભ કમોંનાં પ્રભાવથી સમાધિના પ્રભાવથી બીજી ગતિમાં નવીન સુંદર શરીર ધારણ કરવું જેને મરણ કહેવાય છે. તેમાં શોક શાનો હોય ? તેમાં તો આનંદ જ માનવાનો છે. જેમ કોઈ માણસને એક સડી ગયેલી ઝુંપડીને છોડી દઈ બીજા નવીન મહેલમાં જઈને વસવું હોય, તો તે માણસને શોક નહિ થતાં આનંદના ઉભરા હોય છે. તેવી જ રીતે આ આત્માને આ ખડેર જેવા સડી ગયેલ દેહરૂપ ઝુંપડીનો ત્યાગ કરી નવા દેહરૂપ મહેલને પ્રાપ્ત કરવો, એ મહા ઉત્સવનો અવસર છે. તેમાં કોઈ પ્રકારની હાનિ છે જ નહિ જે પોતાને પસંદ ન હોય તેવો વ્યવહાર બીજા સાથે ન કરવો.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy