________________
૮૦૬
રત્નત્રયી ઉપાસના
સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું પામવું સુલભ છે, પણ દુર્લભમાં દુર્લભ નમસ્કાર મહામંત્ર પામવો અતિ દુર્લભ છે, તેથી મનની અંદર નમસ્કાર મંત્રનું સ્મરણ કર.
એક ભવમાંથી બીજા ભવમાં જતાં જતાં ભાવિકોને નમસ્કાર મંત્રની સહાયથી પરભવને વિષે મનોવાંછિત સુખ સંભવે છે, તે નમસ્કાર મંત્રનું મનની અંદર તું સ્મરણ કર.
જે નમસ્કાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલો થાય છે, અને જે મોક્ષના સુખને સત્ય કરી આપે છે તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મરણ કરી
આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકલ પાપ વોસીરાવીને આ નમસ્કાર મંત્રનું તું સેવન કર.
પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવામાં તત્પર એવો રાજસિંહ કુમાર મરણ . પામીને પાંચમા દેવલોકમાં ઈંદ્રપણું પામ્યો હતો.
તેની સ્ત્રી રત્નાવતી પણ તે જ પ્રકારે આરાધીને જ પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી. ત્યાંથી ચ્યવીને બન્ને મોક્ષે જશે. મરણ સમયની શુભ ભાવના આ છે.
શુભ ચિંતવન કરવાની ભલામણ “મારો દેહ પડી જાય તે સમયે મારી પછવાડે કોઈ રૂદન કરે, અગર શોક પાળે-પળાવે, પાણી ઢોળે, છ કાયની વિરાધના કરે, તેમાં મારે લેવા દેવા નથી, મારા શરીરનો સંસ્કાર કરે તેમાં પણ મારે દેવા નથી. વ્યવહારથી જે કોઈ કરે તે તેઓ જાણે.”
પુણ્યોદય હોય તો જ ધર્મમાં સહાયક કુટુંબ મળે.