________________
ઉપરાંત તિથિના ભેદોનું નિવારણ થાય. આ રીતનું શાસ્ત્રાનુસારી જૈન પંચાંગ બની શકે અને તિથિભેદ મટી શકે કે કેમ? તેનો ઊંડો અભ્યાસ કરવાનો ઉપક્રમ આ ઠરાવ દ્વારા કરાયો છે. જ્યાં સુધી તેવું સાર્વત્રિક સંતોષકારક પંચાંગ ન બની શકે ત્યાં સુધી સૌએ પૂર્વોક્ત વર્તમાન પદ્ધતિએ જ આરાધના કરવી-કરાવવી.
ઠરાવ નં.૬૨ની સમજ - શ્રી શત્રુંજયતીર્થાધિરાજ સૃષ્ટિનું સર્વોચ્ચ અને પ્રાયઃ) શાશ્વત તીર્થ છે. લાખો જેનોની આસ્થા જ્યાં અનન્યભાવે જોડાયેલી છે તેવા આ મહાતીર્થમાં આશાતનાઓથી લઈને અતિક્રમણ સુધીની અનેક ગંભીર સમસ્યાઓ છે કે જેના ઉપાયો પણ એટલી જ ગંભીરતા અને પરિપક્વતાપૂર્વક કરવા જેવા છે. શ્રમણસંમેલને આવો ગંભીર અભિગમ દાખવીને શ્રી શત્રુંજયગિરિરાજ સંબંધી સમસ્યાઓના તલસ્પર્શી અભ્યાસ અને તેના નિરાકરણ માટે શ્રમણ સમિતિ દ્વારા કાર્ય કરવાનો નિર્ણય આ ઠરાવરૂપે કર્યો છે. આ સમિતિ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીને સાથે રાખી તેમના દ્વારા આ કાર્ય સંગીનરૂપે કરાવશે.
• ઠરાવ નં ૬૩ની સમજ - જીવદયા-પાંજરાપોળ-અબોલ પ્રાણીઓ માટે જૈનો દ્વારા જે દાન વહાવાય છે અને જૈન સંઘો-જૈન સંસ્થાઓ દ્વારા જેટલું કાર્ય થાય છે તેટલું કદાચ અન્ય કોઈ દ્વારા થતું નહિ હોય. આમ છતાં અલગ અલગ કાર્યપદ્ધતિના કારણે પરસ્પર પદ્ધતિનો ટકરાવ, એક સ્થળે જરૂરથી વધુ દાનનો ભરાવો અને બીજે જરૂરિયાતપૂર્તિનો પણ અભાવ વગેરે જે સમસ્યા સર્જાય છે તેને દૂર કરવા માટે આ ઠરાવ દ્વારા કેન્દ્રીય સમિતિ રચીને તેની દેખરેખ નીચે સર્વ જીવદયાપ્રવૃત્તિ સંકલિત કરવાનો નિર્દેશ કરાયો છે. જેથી ઉપરોક્ત જેવી સમસ્યાઓ સુલઝાઈ શકશે.
...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન પ૧