________________
આવવા ઈચ્છુક શ્રમણ-શ્રમણીના ગચ્છાધિપતિએ પણ આવી લેખિત સંમતિ આપતાં પૂર્વે પોતાના તે સાધુ-સાધ્વીજીના ગુરુ તથા વૃંદના વડીલની લેખિત સંમતિ લેવી. આ પછી ય જો આવવા ઈચ્છુક શ્રમણ-શ્રમણીના ગુરુ યા વડીલની લેખિત અસંમતિ આવે તો સ્વીકારનાર ગચ્છાધિપતિએ સાધુ-સાધ્વીજીને પોતાના સમુદાયમાં સ્વીકારવા નહિ.
ઉપરોક્ત બધી સંમતિઓ ન મળે અને પરિસ્થિતિ અતિવિષમ હોય તો તેવા સાધુ-સાધ્વીજીના લેખિત પત્ર બાદ પ્રવરસમિતિ સમુદાયાંતર કરવા ઈચ્છુક સાધુસાધ્વીજીના ગુર્નાદિકને વિશ્વાસમાં લઈને જે તે ઉચિત નિર્ણય “૧ વર્ષના સમય દરમ્યાન લેખિત રૂપે કરે. જ્યાં સુધી આવો નિર્ણય ન થાય ત્યાં સુધી સાધુ-સાધ્વીજીને કોઈએ પોતાના સમુદાયમાં સ્વીકારવા નહિ. આ નિયમ સમુદાયમાં સ્થિત કે સમુદાયની બહાર થયેલ સાધુ-સાધ્વીજી અંગે એક સરખો લાગુ રહેશે. આ નિયમનો ભંગ જે શ્રમણશ્રમણી વૃંદ કરે તે શ્રમણ-શ્રમણી વૃંદને તેમના ગચ્છાધિપતિએ સમુદાય બહાર કરવા. જો ગચ્છાધિપતિ આમ ન કરે તો શ્રમણ સંઘ તે ગચ્છાધિપતિ સાથે વધુમાં વધુ પાંચ વર્ષ માટે તમામ વ્યવહારો સ્થગિત કરે. અને તે સમય દરમ્યાન તેઓ શ્રમણ સંઘની કોઈ પણ સમિતિમાં કાર્ય નહિ કરી શકે.
આ મુદ્દા અંગે ભવિષ્યમાં જો કોઈપણ પ્રશ્ન ઊભો થાય તો તેનો ઉકેલ પ્રવર સમિતિના પાંચે આચાર્ય ભગવંતો લાવે તે સર્વને સંમત રહેશે.
- ઠરાવ નં.૨૧ : ભારતભરના જ્ઞાનભંડારોને સુવ્યસ્થિત કરી આધુનિક ટેકનોલોજી દ્વારા તેને સંકલિત કરવા માટે પ્રવરસમિતિનાં માર્ગદર્શન મુજબ એક શ્રાવક સમિતિ રચવી.
| ઠરાવ નં.૨૨ - પૂર્વપ્રકાશિત પ્રાચીન ગ્રન્થોના સંશોધક-સંપાદક-પ્રકાશકાદિના અથાગ શ્રમને, તે તે ગ્રન્થોમાં પુનઃ પ્રકાશનોમાં યોગ્ય ન્યાય મળી રહે તે માટે આ સંમેલન અનુરોધ કરે છે કે જ્યાં જ્યાં નૂતન આવૃત્તિના પ્રેરક-સંપાદકાદિનું નામ હોય ત્યાં ત્યાં તેની ઉપર પૂર્વપ્રકાશનના સંશોધક-સંપાદક-પ્રકાશકાદિનાં નામનો પણ એટલા જ મહત્ત્વપૂર્વક ઉલ્લેખ કરવો જોઈએ.
• ઠરાવ નં.૨૩ કેટલાય મોટા સંઘો આદિમાં દેવદ્રવ્યની ઘણી મોટી રકમો એફડી. રૂપે જમા રહેતી હોય છે. આનાથી ઘણાં નુકસાન સર્જાતા હોવાથી સંઘો આદિએ પર્યુષણાપર્વ૧૮ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન..