SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણો સમજાવ્યો. પરંતુ શેઠ તો પોતાનો નિયમમાં મક્કમ રહ્યો. અને આ ધર્મ સંકટમાંથી બચવા ત્યાંજ આંખો બંધ કરી એક ચિત્તે ભક્તામર સ્તોત્રના-૨૬મા શ્લોકનું સ્મરણ કરવા લાગ્યો. થોડીવારમાં તો એ મકાન ન મળે અને કોઈ સ્ત્રી પણ ન મળે. પરંતુ એ ધનમિત્ર શેઠની સામે તેજ તેજના અંબાર સરખો દેવ પ્રત્યક્ષ થયો અને બોલ્યો કે, “હે શેઠ! તમારો નિયમ તોડાવવા માટે જ મેં આ પ્રમાણેની માયા જાળ ઉભી તકી હતી. પરંતુ તમારી મક્કમતાથી હું બહુ ખુશ થયો છું. અને તમારું દારિદ્ર દૂર કરવા આ પાંચ રત્નો આપું છું.' એમ કહીને દેવે પાંચ કિંમતી રત્નો આપીને પોતાને સ્થાને ચાલ્યો ગયો. ત્યારે શેઠ તો આ બધું એકદમ શી રીતે બન્યું તેનો વિચાર કરતો કરતો પાંચ રત્નો લઈ ને પાટલીપુર નગર તરફ આવવા માટે નીકળ્યો; પ્રથમ કરતાં પણ વિશેષ શ્રદ્ધા પૂર્વક એ ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા લાગ્યો. અનુભવ થયા પછી ભક્તિમાં વધુ આનંદ અને ભક્તિ વધે છે. ત્યારથી તે શેઠ હંમેશાં દુઃખના સમયમાં તો દરેકને ભક્તામર સ્તોત્રનું જ આરાધના કરવાની સલાહ આપતો, કારણ કે આ પવિત્ર સ્તોત્રના આરાધનથી જો કર્મ રૂપી વિકાર શાંત થાય છે તો આ કૃત્રિમ વિકાર શાંત થાય તેમાં શી નવાઈ છે? કો વિસ્મયડ યદિ નામ ગુણરશેષે વં સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દોષ રુંપારવિવિધાશ્રય જાત ગાવે, સ્વપ્નાંતરેડપિન કદાચિદપીક્ષિતોડસિા. ૨૭/ અર્થ-હે મુનીશ્વર? આપ સમસ્ત ગુણોના પરિપૂર્ણ આશ્રયરૂપ સ્થાન હો તો તેમાં આશ્ચર્ય શું છે? વિવિધ આશ્રયોથી ઉત્પન્ન થયેલા અહંકારરૂપ દોષોએ કરી તમને લોકોએ સ્વપ્નામાં કદી દીઠેલા નથી.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy