SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ખેડૂઓ પાસે કામ લેવાનો યોગ્ય નહોતો લાગતો અને હંમેશા સુધારકનીતિ ધરાવતા શીવાભાઈએ અમદાવાદમાં ત્રણ માસ સરકારી નોકરી કરી.અને આમ તેઓએ અમદાવાદ જ રહેવાનું મુનાસીબ ગયું.વખત જતાં તેઓએ અમદાવાદ હાજાપટેલની પોળમાં શેઠશ્રી પરસોત્તમદાસને ત્યાં નોકરીએ રહ્યા. અહીંથી જ તેમનો જીવનરાહબદલાવાનો શરૂ થયો. કારણકે શેઠ પરસોત્તમદાસ ચુસ્ત જૈન હતા. તથા તેમને ત્યાં જ ઘર દેરાસર હતું. રોજબરોજ અનેક સાધુ-સાધ્વીઓના સંપર્કમાં રહેવાનું તેમના માટે સામાન્ય હતું. હવે શીવાભાઈને અહીંનોકરી મળવાથી તેઓ પણ ધીરે ધીરે જૈન ઘર્મનું મહત્વ સમજતાં ગયાં અને ધીરેધીરે પૂજાસેવા તેમજ સાધુ-સાધ્વીઓની સેવા તેઓ પણ કરવા લાગ્યા. આ પ્રમાણે લગભગ ચાર-પાંચ વર્ષ ચાલ્યું. ત્યારબાદ એકવખત સંવત ૧૯૯૩ માં ચોમાસુ કરવાઅમદાવાદ ડહેલાના ઉપાશ્રયે પ.પૂ. આચાર્ય શ્રી તિલકવિજયજી મહારાજસાહેબ તેમના શિષ્ય શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ સાથે પધાર્યા. - શેઠ પરસોત્તમદાસની સાથે સાથે શીવાભાઈ એ પણ ગુરુજી ની સંપૂર્ણ સેવાસ્વીકારી લીધી હતી. આમ ચોમાસા દરમ્યાન ગુરુજીના વધુ સંસર્ગમાં આવતાં શીવાભાઈને સંસારની અસરતા સમજાઈ ગઈ. મુળ સ્વભાવ ધાર્મિકતથા જૈન ધર્મના સંસ્કાર શેઠ દ્વારા સારા એવા એમનામાં પડ્યા હતા. તેમાં આચાર્ય મહારાજ સાહેબે કાચા હીરા રૂપી શીવાભાઈને સંસારની અસારતા સમજાવી, જેના પરિણામરૂપ શીવાભાઈને સંસાર ત્યાગવાની તેમજ જૈન ઘર્મમાં દીક્ષા લઈને તેમાં વધુ ઉંડા ઉતરવાની ઈચ્છા વ્યકત કરી. આમ સંવત ૧૯૯૪ના મહાસુદ બીજના રોજ તેમને શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબના શિષ્ય બનાવાયા અને તેમનું સાઘુ
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy