SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જી તેઓશ્રી આર્ધી સદી ઉપરાંતના દીર્ઘ દીક્ષાપર્યાય દરમ્યાન અનેકાનેક ધર્મકાર્યો કરતા રહ્યા છે. સં. 2030 માં અમદાવાદમાં શ્રી ભાનુપ્રભા સેનેટોરીયમનું મકાન બનાવરાવી - સાધુ- સાધ્વી મહારાજોને સ્વાસ્થ્ય માટે સગવડ કરી અપાવી. એવી જ રીતે પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક સ્થળોએ જિનાલયો, ઉપાશ્રયો, પાઠશાળાઓ, ભોજનશાળાઓ આદીના ઉદ્ધાર અથવા નિર્માણકાર્યો થયા છે. પૂજ્યશ્રીની પવિત્ર વાણીથી આ સેનેટોરીયમ ટ્રસ્ટના સંકુલમાં નાનકડું સુંદર, મનોહર પાયાથી શિખર સુધી શુદ્ધ સફેદ આરસનું મહાપ્રભાવી શ્રી અજીતનાથ - ભીજભંજન પાર્શ્વ-પદ્માવતી જિનમંદિર પણ નિર્માણ થયેલ છે. તેની ખનનવિધિ 28-8-85 દ્વિ. શ્રા.સુ. 13 બુધવારના શુભમુહુતૅ ઉત્સાહપૂર્વક થયેલ હતી તથા સં. 2042 વૈ. વદ 5 બુધવારના રોજ શુભમુહુર્ત અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ધામધૂમપૂર્વક થયેલ. દર વર્ષે સારી એવી રકમ દેવદ્રવ્યમાં - ભોજનશાળામાં વૈયાવચ્ચ ખાતે જીવદયા - સાધારણ ખાતે વપરાવવા માટે પ્રેરક થતા. છેલ્લે જીનાલયની પાંચમી વર્ષગાંઠ ઉજવી સં. 2047 દ્વિતિય વૈ.વ. 14 ના રોજ અરિહંતસ્મરણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના જીવનકાર્યો સદૈવ ચિરસ્મરણીય બની રહેશે.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy