________________
૧૧૩
આપાદ કે ટ મ રૂ શંખલ વો ષ્ટિ તાંગા, ગાઢ બહનિગડ કોટિનિવૃષ્ટ જંઘાર, ત્વનામત્રામનિશ મનુજાઃ સ્મરન્તઃ સધઃ સ્વયં વિગતબંધભયા ભવન્તિ. તે ૪૨ /
અર્થ-પગથી કંઠ સુધી મોટી મોટી બેડીઓએ કરી શરીર બાંધેલા હોય, તથા અત્યંત મોટી બેડીઓના અગ્ર ભાગથી જેમની જંઘા ઘસાઈ ગઈ હોય. તેવા મનુષ્યો તમારા નામ રૂપી મંત્રનું સ્મરણ કરતાં તત્કાળ પોતાની મેળે બંધનના ભયથી રહિત બની જાય છે.
ऋद्धि : ॐ ही अहँ नमो सिद्धादयादमाणं ॥ - मंत्र: ॐ नमो हीं श्रीं हः हौ ठः ठः ठः जः जः क्षां
ક્ષ કૂં ક્ષો ક્ષઃ સ્વાદા |
આ બેંતાલીસમા કાવ્ય-મંત્રને અઠ્ઠમતપ યા ત્રણ આયંબીલ કરી તેની આરાધીને આરાધના કરનાર બંદીખાનામાંથી છૂટે-તેમ બીજાને પણ છોડાવી શકે. " શ્લોક ૪૨ મા નો પ્રભાવ બતાવનારી કથા.
ઘણા વખતથી દિલ્હીના બાદશાહ અજમેર જીતવા પ્રયત્ન કરતો હતો. પરંતુ એશહેરનો કિલ્લો બહુજ મજબુત હોવાથી અને ત્યાંનો રાજા નરપાળ પણ બહુ સાવધ હોવાથી તેમાં તે ફાવી શકતો ન હતો. અજમેરથી થોડે દૂર આવેલા પલાશપુરમાં પણ નરપાળનો રણધીર રાજ્ય ચલાવતો હતો. તે પણ લાગ સાધીને વારંવાર અજમેર ચડી આવી બાદશાહના લશ્કરને હેરાન કરવાનું ચૂકતો નહિ. એટલે બાદશાહે ખીજાઈને એકવાર પલાશપુર ઉપર ચઢાઈ કરી અને ત્યાંનો કિલ્લો તોડી રણધીરને કેદ પકડી દિલ્હી લઈ ગયો.