SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તપશ્ચર્યા કરી. ત્યારે પેલી હિંસક દેવીની શક્તિ ઢીલી પડી અને પોતે પ્રગટ થઈ કહેવા લાગી કે હે શેઠ! હું તમારી ઉપર પ્રસન્ન થઈ છું. માટે જે જોઈએ તે માગો!' શેઠ તો એકાએક આવા ચમત્કારથી નવાઈ પામ્યા અને બોલ્યા કે હે દેવી!જો આપ ખરેખર પ્રસન્ન થઈ, વરદાન આપવા ઈચ્છતા હો તો મારે ધન દોલત જોઇતી નથી. પણ હું એટલું જ માગું છું કે, આપ આ નિર્દોષ પ્રાણીઓની હિંસા છોડી દો અને અહિંસા ધર્મનું પાલન કરો. દેવી આ સાંભળી બહુ ખુશ થઈ અને ત્યારથી સદાને માટે હિંસા છોડી દેવાની કબુલાત આપી, એટલું જ નહિ પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે “અંભો નિંધી’ એ ગાથાના સ્મરણ કરવાથી પોતે હાજર થશે એમ જણાવી પોતાને સ્થાનકે ચાલી ગઈ. વહાણો પણ પ્રથમની માફકજ આગળ ચાલવા લાગ્યાં. અને વિજયશેઠ શાતિ પૂર્વક પોતાના નગરમાં પહોંચી ગયા. પણ જ્યારે રસ્તામાં બનેલી વાત લોકોએ સાંભળી ત્યારે જૈન ધર્મનો મહિમા ઘણો જ વધ્યો. જે પ્રભુના સ્મરણથી અનેક મિથ્યાત્વી દેવો પણ સમકિતી બને છે, તો પછી આ દેવી જૈનધર્મ પ્રત્યે અનુરાગવાળી થાય તેમાં શું આશ્ચર્ય તમે પણ સ્મરણ કરવાનું શરૂ કરશો કે તરત જ તમારામાં અજબ ફેરફાર તમને માલમ પડશે એવો મહાન ચમત્કાર આ સ્તોત્રમાં છે. જલોદરાદિક વિનાશક ઉંભૂત ભીષણ જલોદર ભારભગ્ના; શોચ્યાં દશામુપગતાશ્ચયુતજીવિતાશા ; ત્વત્પાદ પંકજ રજોડમૃતિદગ્દદેહા, મચો ભવિગત મકરધ્વજતુલ્યરૂપાઃ || ૪૧ /
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy