________________
તેઓશ્રી અર્ધી સદી ઉપરાંતના દીર્ઘ દીક્ષાપર્યાય દરમ્યાન અનેકાનેક ધર્મકાર્યો કરતા રહ્યા છે. સં. ૨૦૩૦માં અમદાવાદમાં શ્રી ભાનુપ્રભા સેનેટોરીયમનું મકાન બનાવરાવી- સાધુ-સાધ્વી મહારાજને સ્વાથ્ય માટે સગવડ કરી અપાવી. એવી જ રીતે પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક સ્થળોએ જિનાલયો, ઉપાશ્રયો, પાઠશાળાઓ, ભોજનશાળાઓ આદિના ઉદ્ધાર અથવા નિર્માણકાર્ય થયા છે. "
- પૂજ્યશ્રીની પવિત્ર વાણીથી આ સેનેટોરીયમ ટ્રસ્ટના સંકુલમાં નાનકડું સુંદર, મનોહર પાયાથી શિખર સુધી શુદ્ધ સફેદ આરસનું મહાપ્રભાવી “શ્રી અજીતનાથ ભીડભંજન પાર્શ્વ-પદ્માવતી જિનમંદિર” પણ નિર્માણ થયેલ છે. તેની ખનનવિધિ ૨૮-૮-૮૫ દ્વિ. શ્રા.સુ. ૧૩ બુધવારના શુભમુહુર્ત ઉત્સાહપૂર્વક થયેલ હતી તથા સં.૨૦૪૨ વૈ.વદ ૫ બુધવારના રોજ શુભમુહર્ત અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ધામધૂમપૂર્વક થયેલ. * દર વર્ષે સારી એવી કમ દેવદ્રવ્યમાં – ભોજનશાળામાં વૈયાવચ્ચ ખાતે જીવદયા - સાધારણ ખાતે વપરાવવા માટે પ્રેરક થતા.
છેલ્લે જીનાલયની પાંચમી વર્ષગાંઠ ઉજવી સં.૨૦૪૭વૈ.વ. ૧૪ના રોજ અરિહંતસ્મરણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
તેઓશ્રીના જીવનકાર્યો સદૈવ ચિરસ્મરણીય બની રહેશે.
ლულუ
დ ო
ლუდი