________________
(૨૪) આહારક લબ્ધિ: શરીરના અનેક પ્રકારોમાં એક પ્રકાર આહારક શરીરનો છે. આ લબ્ધિના પ્રભાવથી સાધક ( આહારક શરીર વિકર્વી એક હાથ પ્રમાણ સ્ફટિક જેવું શરીર બનાવી સૂક્ષ્મ શંકાના નિવારણ માટે પરમાત્મા પાસે મોકલે અને આ સંશયનું સમાધાન કરી, દર્શન કરી, પછી એ દેહનું વિસર્જન કરી શકે.
(૨૫) શીતલેશ્યા લબ્ધિ તેજોલેશ્યાથી વિરુદ્ધ આ લબ્ધિ છે. જેના પ્રભાવે બળતા જીવોને મેઘવર્ષાથી જેમ શાંતિ થાય છે છે તેમ આ લબ્ધિની લહેરથી શીતળતા પ્રસરે છે.
(૨૬)વૈક્રિયલબ્ધિઃ આ લબ્ધિના પ્રભાવથી સાધક વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની શક્તિવાળું નાનું – મોટું - હલકું - ભારે એવું વૈક્રિય શરીર નિર્માણ કરી શકે.
(૨૭) અક્ષીણ મહાનસ લબ્ધિ અનેક લોકોને વસ્તુ આપવા છતાં પણ અખૂટ રહે તે અક્ષીણ મહાનસ લબ્ધિના બે પ્રકાર છે.
(૧) અક્ષીણ મહાન સલબ્ધિઃ આ લબ્ધિના પ્રબળ પ્રભાવથી પાત્રમાં અત્યંત અલ્પ અન્ન આહાર) હોય તો પણ તે અહાર અનેક મનુષ્યોને જીવોને વપરાવવા છતાં પણ ખૂટે નહિ. આ લબ્ધિના અચિંત્ય પ્રભાવથી જ અષ્ટાપદ તીર્થની યાત્રા કરી ગૌતમસ્વામી
એક પાત્રમાં અલ્પ ક્ષીર વહોરી લાવી તીર્થની તળેટીએ રહેલા ૧૫૦૩ તાપસીને ક્ષીરના ભોજનથી પારણું કરાવેલ.(૨) અક્ષીણ અર્જ CD મહાલબ્ધિના પરમ પ્રભાવે મર્યાદિત ભૂમિમાં અસંખ્ય દેવ - દેવી મનુષ્યો – વગેરે પરિવાર સહ બાધારહિત સુખી રહે છે. પીડા - 8
સંકડાશ જેવું લેશમાત્ર લાગે નહિ
(૨૮) પુલાક લબ્ધિઃ આ લબ્ધિ દ્વારા સાધક એવી શક્તિ પ્રાપ્ત કરે જે દ્વારા સંઘના ભલા માટે શત્રુસેના પરાજિત કરી શકે એટલું જ નહિ શક્તિશાળી ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણકરી નાશ કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે.