SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ - અ ગણધર - સમજૂતિ ‘‘ગણધર એટલે અનુત્તર જ્ઞાન દર્શનાદિ-ધર્મ ‘‘ગળું ધારત કૃતિ ગળધરઃ ।'' જ્ઞાન-દર્શન આદિ ધર્મગણને ધા૨ણ કરનાર ગણધર કહેવાય છે એમ આવશ્યક વૃત્તિમાં ગાથા ૧૦૬૨માં જણાવ્યું છે. પરમાત્માના સ્વમુખેથી ત્રિપદી ગ્રહણ કરી અંતર્મુહુર્તમાં બીજબુદ્ધિથી દ્વાદશાંગીની રચના કરવી એ જ એમના જ્ઞાન-દર્શન નું દાર્શનિક ફળ છે અને ગણધ૨પદની સાર્થકતા છે. ગણધરનો અન્ય અર્થ ગણ અથવા શ્રમણસંઘને ધારણ કરવાવાળા ગણના અધિપતિ કે સ્વામી થાય છે. એક જ પ્રકારની વાચના લેનાર મુનિ સમુદાયને ગણ અને એ મુનિસમુદાયની વ્યવસ્થાનું સંચાલન કરવાવાળા મુનિ ને ગણધર કહેવાય છે. જૈન ઇતિહાસમાં ‘તીર્થંકર' શબ્દ જેટલો અર્થપૂર્ણ છે. એટલો જ અર્થપૂર્ણ શબ્દ છે ‘ગણધર’, તીર્થંકર અર્થાત્ તીર્થસ્વરૂપ સંઘ - સાધુ, સાધ્વી - શ્રાવક -શ્રાવિકરૂપ ચતુર્વિધ સંઘના નિર્માતા-સ્થાપક છે. જ્યારે ‘ગણધર’ અર્થાત્ સાધુ-સાધ્વીરૂપ સંઘની મર્યાદા - વ્યવસ્થા અને સમાચારીના નિયોજક, વ્યવસ્થાપક તથા પરમાત્માની અર્થરૂપ વાણીને સૂત્રરૂપમાં સંકલન કરવાવાળા હોય છે. 0000000000001
SR No.006077
Book TitleGautamswami Mahapoojan
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherBhanuprabha Jain Senetoriam
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy