________________
[૮]
: આધારસૂત્ર :
અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશો જી; દેવચન્દ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશો જી...૭
[અગમ્ય (અજ્ઞાની આત્મા જેમને જોઈ નથી શકતો), અરૂપી (રૂપ વગરના), અલક્ષ્ય (જૈન તત્ત્વજ્ઞાનને બરોબર નહિ સમજેલ વ્યક્તિત્વો વડે જેમનું સ્વરૂપ સમજી શકાતું નથી તેવા), અગોચર (આંખ વગેરે ઇન્દ્રિયો દ્વારા જેઓ ગ્રાહ્ય નથી) એવા પરમાત્મા પરમ - અનન્ત ગુણોથી યુક્ત આત્મા) પરમ ઈશ્વર (અનન્ત ગુણ-પર્યાયોના સ્વામી) છે.
એ ભગવાન નર-દેવ (ચક્રવર્તી આદિ), ભાવ-દેવ (ભુવનપતિ, વૈમાનિક આદિ દેવો) અને ધર્મ-દેવ (જિન કલ્પી, સ્થવિર કલ્પી, ગણધર, આચાર્ય આદિ)માં ચન્દ્ર જેવા નાયક છે. (દેવચન્દ્ર કર્તાનું નામ પણ છે.)
એવા પ્રભુની સેવા કરતાં - આજ્ઞા પાળવાથી - સાધક સમ્મદા વધે છે. સિદ્ધાત્મતા મળે છે.]
૧૨૦
પ્રગટ્યો પૂરવ રાગ