________________
આંધળાને દોરે, એવી હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાય ! -
અન્ય્નૈવ નીયમાના યથાસ્થાઃ । (૧, ૨, ૫; અને ૧, ૨, ૮)
હકીકતમાં, શરીર તો આત્મા પર આરોપિત (Superimposed) છે, એક પ્રકારની ભ્રમણા જ છે; તો શું આવી ભ્રાંતિ, તેના વિશુદ્ધ અધિષ્ઠાનને, એટલે કે આત્માને બાંધી શકે ? અવિદ્યા-અજ્ઞાનથી દૂષિત આવું શરીર શું નિર્દોષ આત્માને, આરોપિત શરીરનાં પોતાનાં આશ્રયસ્થાનને, દૂષિત કરી શકે ?
તાત્પર્યાર્થ એ જ ઉપસી આવે કે નશ્વર ‘આરોપ’ પોતાનાં શાશ્વત ‘અધિષ્ઠાન’ને પોતાની નશ્વરતા વડે કદી પણ દૂષિત કરી શકે નહીં.
શ્લોકમાંનાં આવાં પ્રતિપાદયિતવ્યને પુષ્ટ કરવા માટે, આચાર્યશ્રીએ, ‘જેમતેમ’, ‘જેવી રીતે-તેવી રીતે' (યથા-તથા), એવા સામ્યસૂચક સ્પષ્ટ અને સ્વતંત્ર કોઈ શબ્દો પ્રયોજ્યા નથી તે છતાં, શ્લોકના ઉત્તરાર્ધમાંનું સમાનાર્થ વિધાન, સામાન્ય ધર્મ-કથનના અર્થમાં, ‘અર્થાન્તરન્યાસ’ જેવો એક સમુચિત અલંકાર અવશ્ય બની રહે છે : ગ્રીષ્મ-ઋતુ દરમિયાન, વૈશાખ-જેઠ મહિનાના ધોમ-ધખતા મધ્યાહ્ન-સમયે, રણપ્રદેશમાં, દૂર-સુદૂર, જળના મોટા પ્રવાહો દેખાય, પરંતુ એ બધા મસ-મોટા જળપ્રવાહો, પોતાના આશ્રયરૂપ રણની ખારી જમીન(ષરભૂમિમાળ)ને જરા પણ ભીંજવી શકતા નથી ! કારણ ? સહુ જાણે છે તેમ, જળપ્રવાહો જેવા દેખાતા એ બધામાં જળનું એક ટીપું-સરખું યે હોતું નથી ! એ બધાં તો, હકીકતમાં, માત્ર ઝાંઝવાનાં જળ (મીવિા) જ હોય છે ! પછી ભીનાશ ક્યાંથી ?
શ્લોકમાંના મૂ: એટલે એવાં મૂર્ખજનો, જેમનાં મન-બુદ્ધિ, અવિઘા, કર્મ અને કામ-ક્રોધ જેવા ષરિપુઓ વડે દૂષિત થઈ ગયાં છે.
ખરેખર તો,
-
आरोपितं न आश्रयदूषकं भवेत् ।
· એ વિધાન તો, વેદાન્ત-દર્શનમાં એક સિદ્ધાંતવચન (Axiom) જ ગણાય છે. અને તેથી જ, ભગવત્પાદ આચાર્યશ્રીએ પોતાનાં “અધ્યાસ”-ભાષ્યમાં, આ અનુસંધાનમાં, આ પ્રમાણે, વિધાન કર્યું છે :
तत्र एवं सति, यत्र यदध्यासः, तत्कृतेन गुणेन दोषेन वा अणुमात्रेणापि स न सम्बध्यते ।
(“આમ હોવાથી, જેના પર આરોપણ કરવામાં આવ્યું છે તે વસ્તુ, આરોપિત વસ્તુના ગુણ કે દોષ વડે જરા પણ દૂષિત થતી નથી.”)
શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૯૯)
૯૯૨ / વિવેકચૂડામણિ