SearchBrowseAboutContactDonate
Page Preview
Page 964
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતનાં પૂરનાં પૂર (Floods) વડે એને પરિપૂર્ણ બનાવવામાં આવ્યો છે : એક તો પરબ્રહ્મરૂપી અ-પાર્થિવ મહાસાગર અને એમાં વળી આનંદામૃત-(Nectarine Bliss)નાં આભ-ઊંચાં ઊછળતાં મોજાં ! એના વૈભવ પાસે તો, શિષ્ય કહે છે કે, મારી વિચાર-ઉચ્ચાર-આચારની સર્વશક્તિઓ સંપૂર્ણરીતે અસહાય અને લાચાર (Helpless) થઈ ગઈ છે ! પરંતુ એની લાચારીનું પૂર્ણવિરામ અહીં જ નથી : વર્ષાઋતુમાં પડતા બરફના કરા (વાર્ષિશતા) સમુદ્રમાં પડે ત્યારે, બરફના એ ટુકડાનું ભાવિ (Fate) શું અને કેવું? બરફ મૂળ તો પાણીનો જ બનેલો હોય, પરંતુ સાગરમાં કેટલે ઊંડે તે જઈ શકે ? થોડો અંદર ડૂળ્યો, ત્યાં તો તે સાગરનાં જળરૂપ જ બની ગયો ! સાગરમાં એકાકાર બની ગયો ? એનું પોતાનું કશું અસ્તિત્વ જ ન રહ્યું ! Thus far and no further ! Hygri geri biela biel 241 2464 Birl (Infinitesmal part)માં ભળી જઈને, તે તો તેમાં વિલીન જ થઈ ગયો ! શિષ્ય ફરી નમ્રતાપૂર્વક અને નિખાલસભાવે એકરાર કરે છે કે “મારું મન, બસ, પેલા કરાના ભાવને પામીને, આનંદસ્વરૂપે, પેલા અમૃતસાગરમાં શાંત-પ્રશાંત બની ગયું છે. બીજી વાત તે આ ! - શ્રી રામકૃષ્ણ પરમહંસે દષ્ટાંત આપતાં કહ્યું હતું કે મીઠાની પૂતળી સાગરનાં ઊંડાણનું માપ કાઢવા સાગરમાં જાય તો, તેનું શું થાય ! “બસ, એવી જ ગતિ આજે (મપુના) મારા મનની થઈ ગઈ છે ! અંદર રહું તો હું “હું જ ન રહે અને બહાર નીકળું તો કશું બોલી જ ન શકે! મારાં તો સઘળાં ભાનસાન જ જાણે “બેભાનીબેસાન' બની ગયાં છે !” પ્રહર્ષ(Ecstasy)ને અનુરૂપ એવું છંદ-પરિવર્તન (શાર્દૂલવિક્રીડિત) આચાર્યશ્રીની કવિપ્રતિભાનું નિદર્શક છે. (૪૮૩) ૪૮૪ क्व गतं केन वा नीतं कुत्र लीनमिदं जगत् । अधुनैव मया दृष्टं नास्ति किं महदद्भुतम् ॥४८४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: કુવ ગત કેન વા નીત કુત્ર લીનમિદ જગતુ અધુનૈવ મયા દષ્ટ નાસ્તિ કિં મહદભુતમ્ II૪૮૪માં શ્લોકનો ગદ્ય અન્વય : अधुना एव मया दृष्टं इदं जगत् क्व गतम् ? । केन वा नीतम् ? । - વિવેચૂડામણિ | ૯૫૯
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy