SearchBrowseAboutContactDonate
Page Preview
Page 904
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિઓ સાથેનાં તાદાભ્યને દૂર કરીને, કેવળ બ્રહ્મસ્વરૂપે જ પોતાનાં અંતઃકરણમાં સ્વસ્થ અને સ્થિર રહેનાર મનનશીલ મુનિને, પછી તો, કોઈ પ્રારબ્ધ રહેતું જ નથી. હવે તો, તે, દેશ-કાલ-વસ્તુ એવાં ત્રિવિધ પરિચ્છેદોથી પર એવો માત્ર કેવલ' (ત્રિવિધપરિચ્છેદ્રશૂચ: વત: I) બની રહ્યો છે, એને વળી શું “પ્રારબ્ધ અને શો એનો સંબંધ ! જાગેલા માણસને સ્વાપ્સિક ઘટનાઓ સાથે શો સંબંધ ? કેવલીરૂપ બનેલા મુનિ વિશે “પ્રારબ્ધ”સંબંધની વાત, પેલા જાગેલા માણસના સ્વપ્ન પદાર્થો સાથેના સંબંધની વાત જેવી, અપ્રસ્તુત, અનુચિત અને વાહિયાત છે. ઊંઘમાં એક ભિખારીને સ્વપ્ન આવ્યું : “હું રાજા થયો !” તે જાગ્યો. હવે તેને, સ્વપ્નમાંના, પેલા રાજા સાથે શો-કેવો સંબંધ ! અવિદ્યા-અહંકાર-ઉપાધિ વગેરેનાં તાદાસ્યથી રહિત થયેલા, પ્રારબ્ધ-વગેરે પેલાં ત્રિવિધ કર્મોનાં બંધનોથી મુક્ત થયેલા અને કેવળ-બ્રહ્મસ્વરૂપે જ પોતાનાં અંતઃકરણમાં સ્થિત એવા આત્મજ્ઞાનીને હવે પ્રારબ્ધ” સાથે શો સંબંધ ! ઉપર્યુક્ત બંને પ્રસંગોમાં “સંબંધ”ની કલ્પના, એટલે જબરું અનૌચિત્ય ! શ્રુતિના ઊંડા સ્વાધ્યાય અને સરુના ઉપદેશનાં પરિણામ સ્વરૂપ આવી કેવલ બ્રહ્મમય સ્થિતિએ પહોંચેલા મુનિ વિશે શિષ્ય પૂછયું કે “તે શામાં પ્રતિષ્ઠિત છે ?” ( માવો સ્મિન પ્રતિષ્ઠિત: તિ ) ત્યારે, છાન્દોગ્ય-ઉપનિષદમાં, ગુરુએ જે ઉત્તર આપ્યો હતો કે વે મણિનિ | - “તેના પોતાના મહિનામાં !” - એ, આ અનુસંધાનમાં, યાદ રાખવા જેવો છે. • શ્લોકનો છંદઃ ઉપજાતિ (૪૫૫) અપક न हि प्रबुद्धः प्रतिभासदेहे રેહોપયોગ પ્રપંચે करोत्यहन्तां ममतामिदन्तां . િતુ સ્વયં તિતિ પારેખ ૪૧દ્દા બ્લોકનો ગુજરાતી પાઠ : નહિ પ્રબુદ્ધ પ્રતિભાસદેહે દેહોપયોગિન્યપિ ચ પ્રપંચે ! કરોત્યહત્તા મમતામિદન્તાં કિં તુ સ્વયં તિષ્ઠતિ જાગરણ l૪પ૬ll વિવેકચૂડામણિ | ૮૯૯ ૪૫૬]
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy