SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ બહિર્મુખતા(Extrovertness)નો અર્થ જ એ કે પેલા પાંચ કોશોને જ આત્મા સમજીને તે, તેમાં, હજુ આસક્ત રહ્યો છે ! અને આ બહિર્મુખતા એટલે જ અજ્ઞાન ! અને અજ્ઞાનીને તો, સંસાર(સંસ્કૃતિ:)નું જ દર્શન થતું રહે, તથા આવાં સંસારદર્શન દ્વારા, તેના માટે તો, પુનરપિ પુનઃ જન્મ-મૃત્યુવાળા સંસારનું જ નિર્માણ હોય ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૩) ૪૪૪ प्राचीनवासनावेगादसौ संसरतीति चेत् । न सदेकत्वविज्ञानान्मन्दीभवति वासना શ્લોકનો ગુજરાતી પાઠ : ૫૪૪૪॥ પ્રાચીનવાસનાવેગાદસૌ સંસરતીતિ ચેત્ । ન સદેકત્વવિજ્ઞાનાત્મ્યન્દીભવતિ વાસના ।।૪૪૪॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ प्राचीनवासनावेगात् असौ (ज्ञानी मनुष्यः) संसरति इति (उच्यते) चेत्, न; एकत्वविज्ञानात् वासना मन्दीभवति ॥४४४॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : અસૌ (જ્ઞાની મનુષ્ય:) સંસતિ । સંસ્કૃતિ (સમ્ + TM · એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) - એટલે સંસારમાં પ્રવત્ત થાય છે, સક્રિય બને છે; ટૂંકમાં, આવું સક્રિય સંસારી જીવન જીવવા, પુનર્જન્મ ધરીને, પાછો આવે છે. આ સમ્ + રૢ - એ ધાતુ પરથી જ ‘સંસાર’-શબ્દ બન્યો છે. આ જ્ઞાની મનુષ્ય શાને કારણે સંસારમાં પ્રવૃત્ત થાય છે ? પ્રાચીન-વાસના વેત્ । પ્રવીન એટલે પૂર્વજન્મની, પુરાણી, જૂની, ભૂતપૂર્વ. આવી પૂર્વજન્મની વાસનાઓના વેગથી : “પુરાણી વાસનાના વેગને લીધે, આવો જ્ઞાની મનુષ્ય પણ સંસારમાં પ્રવૃત્ત થાય છે.” ગયા શ્લોકમાં, આચાર્યશ્રીએ, પોતાના કેવલાદ્વૈત-વેદાંત-દર્શનના સિદ્ધાંત પ્રમાણે, એવું પ્રતિપાદન કર્યું હતું કે “બ્રહ્મતત્ત્વને યથાર્થપણે જાણનાર માણસને વિવેકચૂડામણિ / ૮૭૩
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy