________________
બહિર્મુખતા(Extrovertness)નો અર્થ જ એ કે પેલા પાંચ કોશોને જ આત્મા સમજીને તે, તેમાં, હજુ આસક્ત રહ્યો છે !
અને આ બહિર્મુખતા એટલે જ અજ્ઞાન !
અને અજ્ઞાનીને તો, સંસાર(સંસ્કૃતિ:)નું જ દર્શન થતું રહે, તથા આવાં સંસારદર્શન દ્વારા, તેના માટે તો, પુનરપિ પુનઃ જન્મ-મૃત્યુવાળા સંસારનું જ નિર્માણ હોય !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૩)
૪૪૪
प्राचीनवासनावेगादसौ संसरतीति चेत् । न सदेकत्वविज्ञानान्मन्दीभवति वासना
શ્લોકનો ગુજરાતી પાઠ :
૫૪૪૪॥
પ્રાચીનવાસનાવેગાદસૌ સંસરતીતિ ચેત્ । ન સદેકત્વવિજ્ઞાનાત્મ્યન્દીભવતિ વાસના ।।૪૪૪॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
प्राचीनवासनावेगात् असौ (ज्ञानी मनुष्यः) संसरति इति (उच्यते) चेत्, न; एकत्वविज्ञानात् वासना मन्दीभवति ॥४४४॥
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : અસૌ (જ્ઞાની મનુષ્ય:) સંસતિ । સંસ્કૃતિ (સમ્ + TM · એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) - એટલે સંસારમાં પ્રવત્ત થાય છે, સક્રિય બને છે; ટૂંકમાં, આવું સક્રિય સંસારી જીવન જીવવા, પુનર્જન્મ ધરીને, પાછો આવે છે. આ સમ્ + રૢ - એ ધાતુ પરથી જ ‘સંસાર’-શબ્દ બન્યો છે.
આ જ્ઞાની મનુષ્ય શાને કારણે સંસારમાં પ્રવૃત્ત થાય છે ? પ્રાચીન-વાસના વેત્ । પ્રવીન એટલે પૂર્વજન્મની, પુરાણી, જૂની, ભૂતપૂર્વ. આવી પૂર્વજન્મની વાસનાઓના વેગથી : “પુરાણી વાસનાના વેગને લીધે, આવો જ્ઞાની મનુષ્ય પણ સંસારમાં પ્રવૃત્ત થાય છે.”
ગયા શ્લોકમાં, આચાર્યશ્રીએ, પોતાના કેવલાદ્વૈત-વેદાંત-દર્શનના સિદ્ધાંત પ્રમાણે, એવું પ્રતિપાદન કર્યું હતું કે “બ્રહ્મતત્ત્વને યથાર્થપણે જાણનાર માણસને વિવેકચૂડામણિ / ૮૭૩