SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) એક વાત નિશ્ચિત છે કે આ નિરૂપણની પશ્ચાદ્ભૂમાં, ગીતામાંનાં સ્થિતપ્રજ્ઞ -લક્ષણો (૨, ૫૪-૭૨) આચાર્યશ્રીનાં મનશ્ચક્ષુ સમક્ષ છે, અને છતાં આ નિરૂપણમાં આચાર્યશ્રીની સ્વકીય મૌલિકતા, આદિથી અંત સુધી, સ્પષ્ટ વરતાય છે : આમાં જ આચાર્યશ્રીની નિજી-સ્વતંત્ર પ્રતિભા રહેલી છે. (૨) બીજું, અન્યનું મૂલ્યાંકન કરવા માટે કે અન્ય વિશે કશો નિર્ણય (Judge) કરવા માટે, આ શ્લોકોનો ઉપયોગ કરી શકાય નહીં; કારણ કે એમાં બને એવું કે આપણી પોતાની મર્યાદિત મનોબુદ્ધિશક્તિ પ્રમાણે એમ કરવા જતાં, આપણે જે કંઈ અન્યમાં જોઈએ, તેમાંનું કશું ત્યાં હોય જ નહીં ! હકીકતમાં, આ શ્લોકોની સાચી ફલશ્રુતિ તો રહી છે, “આત્મનિરીક્ષણ'માં (૩) અને ત્રીજું, ભારતીય ચિંતકોએ, નીચે પ્રમાણે, ત્રણને, વિશ્વના આદર્શ મનુષ્યો તરીકે પ્રમાયા છે : નરસૈયાનો “વૈષ્ણવજન”, ગીતાનો “સ્થિતપ્રજ્ઞ” અને પ્લેટો(Plato)નો “ફિલોસોફર” (તેના Republic-ગ્રંથ પ્રમાણે). “આદર્શ મનુષ્ય (Ideal Man)ની આવી સર્વોત્તમ અને સમુન્જવલ શ્રેણીમાં જીવન્મુક્ત'ને નિઃસંકોચ સમાવિષ્ટ કરી શકાય. " શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૪૨) ૪૪૩ विज्ञातब्रह्मतत्त्वस्य यथापूर्वं न संसृतिः । अस्ति चेन्न स विज्ञातब्रह्मभावो बहिर्मुखः ॥४४३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિજ્ઞાતબ્રહ્મતત્ત્વસ્ય યથાપૂર્વ ન સંસ્કૃતિઃ | અસ્તિ ચેન્ન સ વિજ્ઞાતબ્રહ્મભાવો બહિર્મુખઃ ૪૪all શ્લોકનો ગદ્ય અન્વય : विज्ञातब्रह्मतत्त्वस्य (मनुष्यस्य) यथापूर्वं संसृतिः न (अस्ति) । सा (સંકૃતિ:) પ્તિ વેત, : વહિપૃG: (d), વિશાતબ્રહ્મમાવ: 7 (તિ) II૪૪રૂા. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિજ્ઞતિવ્રતસ્વસ્થ (મનુષ્યસ્ય) યથાપૂર્વ સંસ્કૃતિ: ત ! વિજ્ઞાતવ્રતત્ત્વ એટલે એવો મનુષ્ય, જેણે બ્રહ્મતત્ત્વને યથાર્થરીતે, યથાર્થરૂપે જાણું વિવેકચૂડામણિ | ૮૭૧
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy