________________
યસ્થ (સર્વે; તે) સમાવ: પવે, : નવનુ$: સુષ્યતે II૪૪શા શબ્દાર્થ :
શ્લોકનાં ચોથા ચરણમાં નિર્દિષ્ટ જીવન્મુક્તનાં લક્ષણને, અહીં પણ પ્રથમ ત્રણ ચરણમાં, આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે :
યસ્ય સમભાવ: ભવેત્ : નીવભુ: પુષ્યતે | સમભાવ એટલે સમાન, એકસરખો ભાવ. જેનો સમભાવ ટકી રહે, જે પોતાના મૂળ સમભાવને જાળવી રાખે; જે સમાન ભાવ રાખે, - તે જીવન્મુક્ત કહેવાય છે. આ “સમભાવ' કોના પ્રત્યે રાખવાની વાત છે અને ક્યારે? -મિન શરીર સાધુમ પૂજ્યમાન, તુર્કને વ પદ્યમાને ગપ, – તેવુ સર્વેy I – સજ્જનો આ શરીરની પૂજા કરે અને દુર્જનો એ જ શરીરને પીડે ત્યારે, તો પણ, તે બંને પ્રકારનાં, - સજ્જનો તથા દુર્જનો, - માણસો પ્રત્યે, સમાન ભાવ રાખે. પૂજમાને (પૂન્ - ધાતુનું કર્મણિ વર્તમાન-કૃદન્તનું રૂપ)- પૂજવામાં આવતો હોય; અને પદ્યમાને - એ પણ પી - ધાતુનું એવું જ રૂપ. પીડવામાં આવતો હોય ત્યારે.
આ રીતે, શ્લોકની પ્રથમ પંક્તિમાં, સમય-દર્શક “સતિ-સપ્તમી વાક્યરચના છે. (૪૪૧) અનુવાદ :
આ (શરીર) સજ્જનો વડે પૂજાય કે દુર્જનો વડે પીડાય, છતાં પણ જે (આવાં સર્વ માણસો પ્રત્યે) સમાન ભાવ રાખે, તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૪૧) ટિપ્પણ:
સમાપ્તિ તરફ ગતિ કરી રહેલાં જીવન્મુક્ત-લક્ષણનાં નિરૂપણમાં, અહીં, તેનાં વ્યક્તિત્વનાં એક અત્યંત દુર્લભ, સુ-વિરલ અને લગભગ અનન્ય (Unique) કહી શકાય એવાં પાસાંનું નિદર્શન કરાવવામાં આવ્યું છે.
મનુષ્યસહજ વૃત્તિ પ્રમાણે, માણસને, પોતાને કોઈ પૂજે તે ગમે છે, “પીડે તે નથી ગમતું; એ જ પ્રમાણે, પ્રશંસા ગમે છે, નિંદા નથી ગમતી; સુખ ગમે છે. દુઃખ નથી ગમતું; લાભ ગમે છે, ગેરલાભ નથી ગમતો; જય ગમે છે, પરાજય નથી ગમતો અને છતાં આ સંસારમાં (સ્મિન સંસારે) અથવા આ શરીરની બાબતમ (ક્લિન શરી), આવી સર્વ સારી-નરસી, અનુકૂળ-પ્રતિકૂળ, ગમતી-અણગમતી, ટૂંકમાં, પરસ્પર-વિરોધી એવી પરિસ્થિતિઓ, - સર્જાતી જ રહે છે અને સામાન મનુષ્યનાં મનમાં, આવી ઘટનાઓ પરત્વે, ઘટનાઓ પ્રમાણે, સારા અને નરસા બંને પ્રકારના ભાવો ઉદ્ભવે છે. એ ભાવ કદી સમાન કે એકસરખો (સમભાવ:
૮૬૬ | વિવેકચૂડામણિ