________________
ગીતાના “સારાંશ' તરીકે, એક ચિંતકે, આ પ્રમાણે, પોતાનો અભિપ્રાય અભિવ્યક્ત કર્યો છે કે, ત્રણેય કાળ પ્રત્યેના જીવન્મુક્ત'ના આ અભિગમના મનુસંધાનમાં, યાદ આવે છે ?
ભૂતકાળમાં જે કંઈ બન્યું તે સારું હતું, વર્તમાનકાળમાં જે કાંઈ બની રહ્યું છે તે સારું જ છે અને ભવિષ્યમાં જે કંઈ બનવાનું હશે, તે પણ સારું જ હશે !”
શ્લોકનો છંદ : અનુણુપ (૪૩૩).
' ૪૩૪ गुणदोषविशिष्टेऽस्मिन् स्वभावेन विलक्षणे ।
सर्वत्र समदर्शित्वं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३४॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
ગુણદોષવિશિષ્ટડસ્મિનું સ્વભાવેન વિલક્ષણે |
સર્વત્ર સમદર્શિતં જીવન્મુક્તસ્ય લક્ષણમ્ II૪૩૪ શ્લોકનો ગદ્ય અન્વય ? - સ્વપન વિત્તળે ગુનોષવિશિષ્ટ અમિન (સંત, સર્વત્ર, સમર્શિત્વ, - (તિ પત) નીવનુષ્ય નક્ષi (તિ) I૪રૂ૪i શબ્દાર્થ : આ શ્લોકનું ચોથું ચરણ, યથાપૂર્વ, અહીં પણ પુનરુક્ત થયું છે અને એ લક્ષણને બાકીનાં ત્રણ ચરણોમાં આ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે :
મન (સંસાર) સર્વત્ર સમશત્વમ્ ! સર્વત્ર એટલે આ સંસારમાં સર્વ સ્થળે, સર્વ વ્યક્તિઓ અને સર્વ પ્રસંગો-પદાર્થો પ્રત્યે; સમશત્વમ્ - એટલે સમાન, એકસરખી દૃષ્ટિ રાખવી તે; આ સંસાર કેવો છે? - સ્વમાન વિસ્તક્ષણે આ સ્વભાવથી, પોતાનાં ચિત્ત-અંતઃકરણ કરતાં વિલક્ષણ, સાવ જૂદો; અને ગુતોષવિશિષ્ટ I ગુણદોષોથી ભરેલો, સભર, પ્રપૂર્ણ
સંસાર આવી હોવા છતાં, સર્વત્ર, સમદર્શી થવું, - એ જ જીવન્મુક્તનું લક્ષણ છે. (૪૩૪) અનુવાદ :
સ્વભાવથી વિલક્ષણ અને ગુણદોષોથી ભરેલો હોવા છતાં, આ સંસાર)માં સર્વત્ર સમાન દષ્ટિ રાખવી, તે, જીવન્મુક્તનું લક્ષણ છે. (૪૩૪)
વિવેકચૂડામણિ | ૮૫૩