SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગુજરાતી પાઠ : પ્રારબ્ધસૂત્રગ્રંથિતં શરીરં પ્રયાતુ વા તિષ્ઠતુ ગોરિવ સ્રમ્ । ન તત્ પુનઃ પશ્યતિ તત્ત્વવેત્તા -ડડનન્દાત્મનિ બ્રહ્મણિ લીનવૃત્તિઃ ॥૪૧૭ના શ્લોકનો ગદ્ય અન્વય ઃ गोः स्रक् इव, आनन्दात्मनि ब्रह्मणि लीनवृत्तिः तत्त्ववेत्ता प्रारब्धसूत्रग्रथितं (સ્વ) શરીરે પ્રયાતુ તિતુ વા, તત્ પુન: ન પશ્યતિ શાજણ્ણા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત્ત્વવેત્તા તત્ (સ્વ) શરીર પુન: ન પશ્યતિ । તત્ત્વજ્ઞાની (મનુષ્ય) પોતાનાં તે શરીરને ફરીથી જોતો-નિરખતો નથી, એની સામું પણ જોતો નથી. આ તત્ત્વજ્ઞાની કેવો છે ? - આનન્દ્રાનિ બ્રહ્મળિ સ્રીનવૃત્તિઃ । સ્રીનવૃત્તિ: એટલે તેવો, - જેની ચિત્તવૃત્તિ લીન થઈ ગઈ છે, એકરૂપ, એકાકાર થઈ ગઈ છે. ક્યાં ? - આનંદસ્વરૂપ બ્રહ્મમાં. એનું શરીર કેવું છે ? प्रारब्धसूत्रग्रथितम् । સૂત્ર .એટલી દોરી; પ્રારબ્ધ(કર્મ)રૂપી દોરીમાં પરોવાયેલું; ગૂંથાયેલું. શરીરને કોની જેમ નિરખતો નથી ? - શો: સત્ વ । ન્નક્ એટલે માળા(ગળામાં પહેરાવેલી, નાખવામાં આવેલી); મો: વ એટલે ગાયની જેમ; શરીર પ્રત્યેનો તેનો અભિગમ કેવો હોય છે ? તત્ (શરીર) પ્રવાતુ તિતુ વા । તે (શરીર) જાય કે રહે ! (૪૧૭) - - અનુવાદ : (ગળામાં પહેરાવેલી) માળાને ગાય જેમ (નિઃસ્પૃહભાવે ફગાવી દે છે તેમ), આનંદસ્વરૂપ બ્રહ્મમાં જેની ચિત્તવૃત્તિ લીન થઈ ગઈ છે, તેવો તત્ત્વજ્ઞાની(મનુષ્ય), પ્રારબ્ધ(કર્મ)રૂપી દોરીમાં પરોવાયેલાં (પોતાનાં) શરીરને, તે રહે કે જાય, (તેની ચિંતા કર્યા વિના) તેને ફરીથી જોતો નથી. (૪૧૭) ટિપ્પણ : પોતાનાં સ્થૂલ શરીર પ્રત્યે, મુમુક્ષુ સાધકનો અભિગમ (Approach, Attitude) કેવો હોવો જોઈએ, એનું નિદર્શન કરાવવા માટે, આચાર્યશ્રીએ, એક સિદ્ધ અને આદર્શ તત્ત્વવેત્તાનાં વ્યક્તિત્વનું અહીં આલેખન કર્યું છે. સામાન્ય રીતે, ‘તત્ત્વવેત્તા’ એટલે ‘ફિલોસોફર’, - એવો જ અર્થ પ્રચલિત છે, વિવેકચૂડામણિ / ૮૧૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy