SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતામાં પેલી નિસરણીનું નિરૂપણ જે રીતે પૂરું થાય છે, તે, આ નિરૂપણનાં મૂળમાં હોવાથી, પ્રસ્તુત હોવાથી, તેને જરા જોઈ લઈએ : જામાોથો ભિનાયતે ॥ (૨, ૬૨) क्राधाद् भवति संमोहः संमोहात् स्मृतिविभ्रमः । સ્મૃતિભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્ પ્રતિ ॥ (૨, ૬૩) ... (“અને કામથી ક્રોધ જન્મે છે. ક્રોધને લીધે અતિમોહ થાય છે, અતિમોહથી સ્મૃતિમાં વિભ્રમ થાય છે, સ્મૃતિવિભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનાશથી મનુષ્ય અંતે સંપૂર્ણ નાશ પામે છે !”) આમ, અહીં તેમ જ ગીતામાં, પેલા રાજર્ષિ કવિ ભર્તૃહરિએ સ્વર્ગની મંદાકિનીનદીના સંદર્ભમાં યોગ્ય રીતે જ કહ્યું છે તેમ, વિવેકભ્રષ્ટ થયેલી વ્યક્તિ માટે, ‘શતમુખ વિનિપાત' સિવાય અન્ય કોઈ આરો-ઉગારો નથી ! - વિવેદ્મષ્ટાનાં મતિ વિનિપાત: શતમુવઃ । (“નીતિશતક”) આ શ્લોકના અનુષ્ટુપ-છંદમાં, અહીં, બેને બદલે ત્રણ લીટી અને ચારને બદલે છ ચરણ(પાદ) છે, એ નોંધપાત્ર છે. (૩૨૮) શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૨૮) ૩૨૯ अतः प्रमादान्न परोऽस्ति मृत्युः विवेकिनो ब्रह्मविदः समाधौ । समाहितः सिद्धिमुपैति सम्यक् समाहितात्मा भव सावधानः ॥ ३२९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અતઃ પ્રમાદાન્ત પરોડસ્તિ મૃત્યુઃ વિવેકિનો બ્રહ્મવિદઃ સમાધૌ । સમાહિતઃ સિદ્ધિમુપૈતિ સમ્યક્ સમાહિતાત્મા ભવ સાવધાનઃ ॥૩૨॥ શ્લોકનો ગદ્ય અન્વય : अतः विवेकिनः ब्रह्मविदः समाधौ प्रमादात् परः मृत्युः न अस्ति । વિવેકચૂડામણિ / ૬૦૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy