________________
અને શિષ્યના આ સવાલનો જવાબ આપતાં, ત્યારપછીના શ્લોકોમાં, આચાર્યશ્રીએ કહ્યું હતું કે બંધન-માત્ર ભ્રાન્તિ-અજ્ઞાન-અવિદ્યામાંથી ઉત્પન્ન થાય છે, અને બ્રહ્મસૂત્ર' પરનાં પોતાનાં ભાષ્યના આરંભમાં, કેવી ભ્રાંતિમાંથી આવું ‘બંધન' ઉદ્ભવે છે તે સમજાવતાં, ‘અધ્યાસ'ની જે વ્યાખ્યા તેમણે આપી છે તે જ, અક્ષરશઃ, શ્લોક-૧૪૦માં, આ રીતે, પુનરુક્ત કરી દીધી છે :– अतस्मिंस्तद्बुद्धिः । ( अतस्मिन् तद्बुद्धिः । )
જે ‘છે', તેને ‘નથી' અને જે ‘નથી’, તેને ‘છે' માની લેવું, એ જ ‘અધ્યાસ' ! અને પછી એ જ શ્લોકમાં, અંતે, ‘બંધન'નાં સ્વરૂપને સમજાવતાં, ઊમેર્યું હતું કે ‘અસત્ય'ને ‘સત્ય’ સમજી લેવું, એટલે જ ‘બંધન !' ય: અસúાહ, સ: હિ વન્ય: મતિ ।
આમ, ‘ભ્રાન્તિ', ‘બન્ધન’, ‘અસાહ’, ‘અધ્યાસ’ આ સર્વ શબ્દો, એક જ અર્થને વ્યક્ત કરવા માટેના પર્યાયો (Synonyms) બની રહે છે. અને આવા ભ્રમની ઘટનાને સમજાવવા માટે, એ જ શ્લોક(૧૪૦)માં જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે, - મુનને ર′ષિષા । (સર્પમાં દોરડાંની બુદ્ધિ), તે વેદાંતના ગ્રંથોમાં અત્યંત પ્રચલિત છે. સર્પમાં (અસ્મિન) એટલે કે જે દોરડું નથી, તેમાં તે દોરડું છે (ત-બુદ્ધિ:) એમ સમજી લેવું, તે જ ‘અધ્યાસ’, અસદ્ગાહ. અને પ્રસ્તુત ચર્ચામાં એનો ઉપયોગ કરીએ તો, અસ્મિન્ એટલે કે તે(શરીર)ને, જે તૂર્ (બ્રહ્મ) નથી, છતાં તે શરીરને તર્ એટલે કે બ્રહ્મ છે, એમ માનવું-સમજવું,
એ જ ‘અધ્યાસ' !
-
અહીં, આ શ્લોક(૨૬૯)માં, ‘અધ્યાસ’ને આ રીતે, સમજવવામાં આવ્યો છે : શરી૨ અને ઇન્દ્રિયો ‘આત્મા' નથી, એટલે કે એ બધી ‘અનાત્મ’-વસ્તુઓ છે, અને છતાં એ સર્વ પ્રત્યે ‘અહં-’ભાવ અને ‘મમ’-ભાવ સેવવો, એ જ ‘અધ્યાસ’ ! ‘હું પોતે તો સચ્ચિદાનંદ આત્મા છું, શરીર નથી,' છતાં અજ્ઞાનને કારણે, ‘હું શરીર છું, ઇન્દ્રિયો છું,' – એવી ખોટી દેહાત્મભાવનાને કારણે ‘અધ્યાસ' ઉત્પન્ન થાય છે, અને ભ્રાંતિજન્ય આ ‘અધ્યાસ'નો નિષેધ કરવાનો એક જ ઉપાય વિદ્વાન પાસે છે : સ્વ-ઞાત્મ-નિષ્ઠયા, એટલે કે તેણે પેલી ખોટી દેહાત્મભાવનાને છોડી દઈને, જે સાચું છે તેને જ અમલમાં મૂકવું, પોતે જે મૂળસ્વરૂપે છે તેવા પોતાના આત્મામાં જ પોતાની સ્થિતિ કરવી ઃ શરીર અને ઇન્દ્રિયો જેવી ‘અનાત્મ’વસ્તુઓમાંનો ‘અહં’-ભાવ અને ‘મમ’-ભાવ ત્યજીને, પોતાના આત્મામાં જ ‘અહં’ભાવ અને ‘મમ’ભાવનું સેવન અને સ્થાપન કરવું.
‘અધ્યાસ’ વેદાન્ત-દર્શનનો એક પારિભાષિક (Technical) શબ્દ છે અને એની સવિશેષ સ્પષ્ટ અને સવિસ્તર સમજૂતી માટે, શ્લોક-૧૪૦ અને શ્લોક૧૮૧નાં ટિપ્પણની સહાય લેવાની ભલામણ કરવામાં આવે છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૬૯) ૫૦૦ | વિવેકચૂડામણિ