SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું પોતાનું નથી, આપણે પોતે શરીર નથી, એટલે મૃત્યુ સમયે તે ત્યાજ્ય, “હેય’ બને છે, પરંતુ બ્રહ્મ તો પ્રત્યગાત્મા છે, પ્રત્યેક મનુષ્યનો વ્યક્તિગત અંતરાત્મા છે. મનુષ્ય જ્યારે પોતાનો ઉલ્લેખ કરે છે ત્યારે, તે પોતાના માટે “હું' (ગરમ) એવું સર્વનામ પ્રયોજે છે. આ “હું' (૩મામ) એટલે કોણ ? મનુષ્યનો પોતાનો જ અંતરાત્મા, જે, બ્રહ્મથી અભિન્ન એવું તેનું પોતાનું જ ભીતરી એવું આંતરસ્વરૂપ છે. ટૂંકમાં, બ્રહ્મ એટલે મનુષ્ય પોતે જ, – સ્વયમ્. કોઈ પણ મનુષ્ય પોતાને જ ત્યજી દે, એવું તો બને જ શી રીતે ? આપણાંથી જે જૂદું હોય, “અન્ય' હોય, અભિન્ન હોય, તે જ ત્યાજ્ય બની શકે. બ્રહ્મ તો દરેક મનુષ્યનું સ્વકીય તત્ત્વ જ છે, અરે, તે તો પોતે જ છે, તેથી બ્રહ્મનું સ્વરૂપ અથ' છે. જે રીતે અને જે કારણે, બ્રહ્મતત્ત્વ “અહેય' છે, એ જ કારણે તે “અનુપાદેય (અગ્રાહ્ય) છે : ઉપાદેય કે ગ્રાહ્ય કઈ વસ્તુ હોય? જે, પહેલાં, ન હોય અને હવે, નવેસરથી, ગ્રહણ કરવાની હોય. બ્રહ્મતત્ત્વ તો શરીરના જન્મ અગાઉ પણ હતું અને શરીરનાં મરણ પછી પણ રહેવાનું જ છે. હકીકતમાં, તે તો મનુષ્યની સાથે હતું, છે અને રહેશે, એનો કોઈ કાળે અભાવ હોતો જ નથી. એ તો સદા-સર્વદા પ્રાપ્ત' જ છે અને ‘પ્રાપ્ત'ની કોઈ રીતે કે નવેસરથી “પ્રાપ્તિ કરવાની હોય જ નહીં. આથી મનીષીઓએ પરમતત્ત્વ કે પરમાત્મા માટે પ્રાીિ ત: એવા શબ્દો પ્રયોજ્યા છે. 'આમ, પરમતત્ત્વ, નથી વિષય ત્યાગનો, નથી વિષય ગ્રહણનો. ત્યાગ અને ગ્રહણ, બંનેથી, તે પર હોવાથી જ, તેને “બહે' (અત્યાજ્ય) અને “અનુપાય (અગ્રાહ્ય) કહેવામાં આવ્યું છે. મન અને વાણીને, આ પહેલાં, “અનાત્મના વર્ગમાં મૂકવામાં આવ્યાં છે, એટલે એ તો એક સંપૂર્ણરીતે તર્કસંગત એવી હકીકત બની રહે છે કે “આત્મતત્ત્વ' આવાં “અનાત્મ-તત્ત્વોને તો અગોચર જ હોય. અને એટલે જ, ઉપનિષદના ઋષિએ આ મન-વાણીની ઠેકડી ઉડાડતાં, એક પ્રસંગે, કહ્યું હતું કે “આ બંને, એક વાર, પરસ્પર સંતલસ કરીને, “મોટે ઉપાડે', બ્રહ્મને પામવા નીકળી પડ્યાં, પરંતુ બ્રહ્મતત્ત્વ એમ સસ્તુ અને સુલભ થોડું જ છે કે આ બંને એમની આ બ્રહ્મપ્રાપ્તિયાત્રામાં સફળ થાય ! એટલે પરિણામ જે આવવું જોઈએ તે જ આવ્યું : 'તે બંને, ગયાં હતાં તેવાં જ, ધોયેલ મૂળાં જેવાં, “હીરો ઘોઘે જઈ આવ્યા'ની જેમ, બ્રહ્મને પામ્યા વિના જ, પાછાં આવ્યાં” ! : यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह । આથી જ, બ્રહ્મને,' “મનોવાગતીત', મનઃવા-અતીત, “મન–વાણીને અગોચર', કહેવામાં આવ્યું છે. સમગ્ર બ્રહ્માંડમાં સઘળી વસ્તુઓ સર્વ-બાબતમાં, કોઈક, એક કે થોડી ફર્મા - ૨૯ વિવેકચૂડામણિ | ૪૪૯
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy