________________
તો, આ સર્વ એટલે તો આ ત્રણ જ (ત્રિતય), - ઘડો, જળ, અને તે (જળ)માં, તા સૂર્યનું પ્રતિબિંબ. સૂર્ય આ ત્રણેયને, તટસ્થ રહીને પ્રકાશે છે.
બસ, જેમ (થા) આ વિદ્વાન માણસ, ઘડો, જળ, સૂર્યપ્રતિબિંબ એ બધાને ત્યજીને (સર્વ વિહાય) સૂર્યને જ જુએ છે, તેમ પેલો જ્ઞાની મનુષ્ય (પુમાન) દેહ, બુદ્ધિ વગેરેને છોડીને (વિકૃષ), પોતાનાં નિજરૂપને બરાબર જાણીને (સભ્ય વિજ્ઞાય) અમર (વિમૃત્યુઃ) થઈ જાય છે. (૨૨૧-૨૨૨-૨૨૩)
અનુવાદ: ઘડાને, જળને અને તે(જળ)માં પડેલાં સૂર્યનાં પ્રતિબિંબને, - આ સર્વને છોડીને, વિલક્ષણ માણસ, જેમ, આ ત્રણેયને તટસ્થ રહીને પ્રકાશનાર સ્વયંપ્રકાશ સૂર્યને (તત્ત્વરૂપે) જુએ છે તેમ, સ્થૂળ શરીર, બુદ્ધિ, તેમ જ બુદ્ધિરૂપી ગુફામાં પડેલાં ચૈતન્યનાં પ્રતિબિંબને, એટલે કે ચિદાભાસને છોડીને, સર્વના દષ્ટા (સાક્ષી), સત્ય-અસત્યથી વિલક્ષણ, અવિનાશી, જ્ઞાનસ્વરૂપ, સર્વ-પ્રકાશક, નિત્ય, સર્વવ્યાપક, સર્વગામી, અતિસૂક્ષ્મ, અંદર-બહારના ભેદોથી સંપૂર્ણ વિમુક્ત, પોતાનાં સ્વરૂપથી અભિન્ન એવાં નિજ સ્વરૂપને બરાબર જાણીને, જ્ઞાની મનુષ્ય નિષ્પાપ અને નિર્મલ બનીને અમર થઈ જાય છે.) (૨૨૧-૨૨૨-૨૨૩)
ટિપ્પણ: જે માણસ સૂર્યને જ તાત્ત્વિક-રૂપે ઇચ્છે છે, તેનું જ જેને દર્શન કરવું છે, તેણે, ઘડો, તેમાં રહેલું પાણી, અને તે પાણીમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ, એ સર્વનો સર્વથા ત્યાગ કરવો જ રહ્યો, કારણ કે સૂર્ય તો, તટસ્થ રહીને, તે ત્રણેયને પ્રકાશનારો છે, તેને પેલાં ત્રણેય સાથે કશો જ સંબંધ નથી. સૂર્ય તો સ્વતંત્ર છે, અસંગ છે, તટસ્થ છે. જે મૂર્ખ માણસ ઘડો વગેરે પેલાં ત્રણની ઝંઝટમાં પડે છે, તેમાં પડેલો રહે છે, તેમાં પડેલાં પ્રતિબિંબને જ સૂર્ય સમજીને, તેમાં રાચે છે, આ અણસમજમાં જ રચ્યોપચ્યો રહે છે, આ સર્વનો પરિત્યાગ ન કરે, તે, સૂર્યને, સૂર્યના પ્રકાશને, સાચા અર્થમાં, તાત્વિકરૂપે, ખરેખર, કદીયે, પામી જ ન શકે.
આ દષ્ટાંત પરથી, હવે આપણે મોક્ષાર્થી સાધકના કેઈસ' (Case) પર આવીએ. સાધક “મુમુક્ષુ છે, એ મોક્ષ ઇચ્છે છે. પરંતુ “મોક્ષ' એટલે શું? “મોક્ષ' એટલે “મુક્તિ'. શામાંથી મુક્તિ? મૃત્યુનાં બંધનમાંથી. યાદ કરીએ, વેદનો પેલો “મૃત્યુજય'-મંત્ર, જેમાં મૃત્યુને “બંધન' કહેવામાં આવ્યું છે :
સર્વામિત્ર રચનાત્ કૃત્યોઃ મુક્ષીય... | ૭, ૧૧, ૧૨
એટલે “બન્ધન મૃત્યુનું છે, અને એ બન્ધનમાંથી મુક્તિ, એટલે મોક્ષ. જન્મ-મરણની અનંત ચાલતી ઘટમાળમાંથી છૂટકારો. આવો “છુટકારો” એટલે આ
શ્લોક(૨૨૩)માંનો શબ્દ : વિમૃત્યુ.. વિમૃત્યુઃ એટલે એવો સાધક, જેના માટે મૃત્યુ રહેતું નથી, વિપતિ મૃત્યુ થાય સ: | મૃત્યુથી પર થઈને જે અમર થઈ જાય છે !
આવી સિદ્ધિ મનુષ્ય માટે અશક્ય નથી, પણ અઘરી ઘણી છે. તે પહેલાં એના માટે અનિવાર્ય (Indispensable) એ છે કે તેણે પોતાનાં, “સ્વકીય' (નિન)
વિવેકચૂડામણિ / ૪૧૩