SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ - નક્કી, ચોક્કસ, સુનિશ્ચિત. પીત્યા એટલે પરમ-આત્મા, નિરુપાધિક આત્મા. મનોમય કોશ નિરુપાધિક-પરમાત્મા થઈ શકે નહીં, એ હકીકત સુનિશ્ચિત છે. આવું શા કારણે ? આ પ્રમાણે ચાર કારણો : (૧) માઃિ-અન્ત–વવાનું ! તે આરંભ અને અંતવાળો હોવાથી, તેને ઉત્પત્તિ અને વિનાશ હોવાથી, (૨) નિમાવત્ | પરિનિમાવે – એટલે ક્ષણે ક્ષણે બદલતા રહેવાનો સ્વભાવ, પ્રતિક્ષણ પરિવર્તનનો સ્વભાવ, આવા સ્વભાવવાળો તે હોવાથી, (૩) કુદવાત્મવાત - તે દુઃખરૂપ હોવાથી, તે દુઃખ-સ્વરૂપ હોવાથી, અને (૪) વિષયવહેતો પ ા વિષયરૂપ જણાતો હોવાનાં કારણે પણ. આત્મા વડે તે જ્ઞાનનો વિષય બનતો હોવાથી, એટલે કે તે “ય” (Object of knowledge, knowable) છે, એ કારણે પણ, જ્ઞાનદર્શન-ક્રિયાઓનું કર્મ (object) હોવાથી. આ સર્વ કારણોનું તારણ શું છે? એ જ કે વૃષ્ટી દિ દૃશ્યાત્મયા (વિત્ ) 7 દૃષ્ટ: I દશ્યસ્વરૂપે તે કોઈ વડે ક્યારેય જોવાયો નથી, દષ્ટાને કોઈએ દશ્યરૂપે જોયો નથી. છે એ જોનાર(seer), જાણનાર જ છે, જોવા-જાણવાની ક્રિયાનો કર્તા વિષયી' (subject) જ છે, આ ક્રિયાઓનો કર્મ-વિષય (Object) હોતો નથી. (૧૮૫) અનુવાદ : આદિ અને અંતવાળો હોવાથી, પ્રતિક્ષણ બદલાતા રહેવાના સ્વભાવવાળો હોવાથી, દુઃખ-સ્વરૂપ હોવાથી, અને વિષયરૂપે જણાતો હોવાને કારણે પણ, મનોમય-કોશ કદી પણ પર-આત્મા બની શકે નહીં, એ સુનિશ્ચિત છે, કારણ કે દષ્ટાને (કોઈએ, ક્યારેય પણ) દશ્ય-વસ્ત-રૂપે જોયો નથી. (૧૮૫) ટિપ્પણ : છેલ્લા અનેક શ્લોકોમાં પંચકોશ'માંના ત્રીજા,–“મનોમય”–કોશનું નિરૂપણ ચાલ્યું આવતું હતું, અહીં એની પૂર્ણાહુતિ થાય છે. એટલે, એના ઉપસંહારરૂપે, ગ્રંથકાર, એના વિશેની એક સિદ્ધ હકીકત, અહીં જણાવી દે છે, અને તે એ કે મનોમય કોશ પરાત્મા’ એટલે નિરપાધિક આત્મા બની શકે નહીં. નિશ્ચિત એવી આ હકીકતનાં ચાર કારણો દર્શાવવામાં આવ્યાં છે, તેની સમજૂતી શબ્દાર્થવિભાગમાં આપી છે, તે તો સ્પષ્ટ છે જ. એક વધારાનું અને પાયાનું (Fundamental) કારણ અહીં આપવામાં આવ્યું છે, તે તો સાધક માટે સદાસ્મરણીય બની રહે એવું છે. જોવું” zશ(ર) એ ધાતુ પરથી બનેલો શબ્દ “ઇ”, એટલે “જોનાર” (seer); અને એ જ ધાતુ પરથી બનેલો બીજો શબ્દ “દશ્ય” એટલે “જોવાયેલા” (seen). વ્યાકરણની દષ્ટિએ, “દા' એ “કર્તા(subject) છે અને “દશ્ય” એ કર્મ (object) છે : જે “ક” હોય, એ કદી “કર્મ' બની શકે નહીં. અહીં પ્રસ્તુત સંદર્ભમાં આત્મા દષ્ટા છે, “જોનાર” છે, “જાણનાર”(જ્ઞાતા) છે, “જણાયેલો” (ય) નહીં. કોશ” એટલે “માન, – જે, તલવારને પોતાની અંદર ઢાંકીને, આવૃત કરીને, સુરક્ષિત રાખે છે. આમ, કોશ આત્મા માટે મ્યાનનું કામ કરે છે. આત્માને ફર્મ- ૨૩ ' વિવેકચૂડામણિ / ૩૫૩
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy