________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
સુષુપ્તિકાલે મનસિ પ્રલીને નૈવાસ્તિ કિંચિત્ સકલપ્રસિદ્ધેઃ । અતો મનઃકલ્પિત એવ પુંસઃ
સંસાર એતસ્ય ન વસ્તુતોઽસ્તિ || ૧૭૩ II
શ્લોકનો ગદ્ય અન્વય : સતપ્રતિષ્ઠે, સુષુપ્તિજાતે મનસિ પ્રત્તીને, ન વ વિચિત્ અસ્તિ। અત: પુસ: સંસાર; મનઃસ્વિત: વ (અસ્તિ) । વસ્તુત:, (સ: સંસાર:) તસ્ય (પુંસ:) 7 અસ્તિ / ૧૭૨ે ||
1
શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : ન વ િિવત્ અસ્તિ । કાંઈ જ, કશું જ હોતું નથી, કશાનું યે અસ્તિત્વ હોતું નથી, કોઈ પદાર્થ કે વસ્તુની કશી જ હયાતી ક્યાંય હોતી નથી. ક્યારે ? સુષુપ્તિાને મનસિ પ્રત્તીને ! પ્રત્તીન એટલે વિલીન થઈ જવું, નિષ્ક્રિય-પ્રવૃત્તિરહિત થઈ જવું. અહીં પણ, ‘સતિ-સપ્તમી’ વાક્યરચના પ્રયોજાઈ છે, – સુષુપ્તિ-અવસ્થામાં, જ્યારે મન તદ્દન પ્રલીન થઈ ગયું હોય ત્યારે. આવો નિર્ણય શા કારણે, શા આધારે, કરી શકાયો ? સતપ્રસિદ્ધેઃ । પ્રસિદ્ધિ - શબ્દનું આ, કારણદર્શક, પંચમી-એકવચનનું રૂપ છે. આ હકીકત સર્વત્ર જાહેર છે તેથી, આ ઘટના સૌ કોઈ જાણે છે, તેથી. આ વસ્તુસ્થિતિ (Phenomenon) સુપ્રસિદ્ધ છે માટે. તો પછી, આ સંસાર આવ્યો ક્યાંથી ? એ આવિષ્કૃત થયો જ કેવી રીતે ? અત: પુંસ: (અવં) સંસાર મન:સ્પિતઃ ડ્વ અસ્તિ । મનુષ્યનો આ સંસાર મનની કલ્પના-માત્ર જ છે, આ સંસાર મનુષ્ય પોતે પોતાનાં મનથી જ કલ્પેલો હોય છે, એટલે કે આ સંસાર મનુષ્યની માત્ર કલ્પના જ છે, અને તેથી જ વસ્તુતઃ (સ: સંસાર) તસ્ય (પુંસ:) ન અસ્તિ । વાસ્તવમાં, ખરી રીતે, ખરેખર, હકીકતે, - In fact, really, તે સંસાર તે(મનુષ્ય)નો, પુરુષનો, એટલે કે આત્માનો નથી. તાત્પર્ય એ છે કે આત્માને આ (આવા) સંસાર સાથે કશો જ સંબંધ નથી. (૧૭૩)
અનુવાદ : સુષુપ્તિ-અવસ્થા દરમિયાન, મન વિલીન થઈ જતાં, અહીં કશું જ હોતું નથી, કારણ કે આ એક સર્વ-પ્રસિદ્ધ હકીકત છે, આથી મનુષ્યનો સંસાર મનથી કલ્પવામાં આવેલો જ હોય છે. ખરી રીતે, (સંસાર) તે(મનુષ્યનો, આત્મા)નો નથી. (૧૭૩)
ટિપ્પણ : આ પહેલાં, જાગ્રત અને સ્વપ્ર, - એ બે અવસ્થાઓમાંનાં મનનાં કાર્યક્ષેત્રની વાત કરવામાં આવી. હવે, અહીં એ જ મનની પરિસ્થિતિ સુષુપ્તિ-અવસ્થામાં કેવી હોય છે, એ દર્શાવીને એનાં નિશ્ચિત પરિણામની વાત કરવામાં આવી છે.
સુષુપ્તિ-અવસ્થામાં મનની પરિસ્થિતિ કેવી હોય છે ? મન બુદ્ધિમાં અને બુદ્ધિ અજ્ઞાનમાં વિલીન થઈ જાય છે, તેથી મન તદ્દન નિષ્ક્રિય બની જાય છે, એની વિવેકચૂડામણિ | ૩૩૩