SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ અવિરતતમણા. વિરત એટલે “અટક્યા વિના', “સતત', Continuous, ગાઢ તમોગુણ વડે, તમોગુણનાં સતત આવરણ વડે. સૂર્ય ઢંકાઈ જતાં જેમ પેલો વંટોળિયો સહુને અકળાવી મૂકે, તેમ રજોગુણની વિક્ષેપશક્તિ વિવેકહીન મનુષ્યને હેરાન કરે છે. (૧૪૫) અનુવાદ :- ઘટાટોપ કરી રહેલાં વાદળાંને કારણે અંધકારમય બની ગયેલા દિવસે, સૂર્ય ઢંકાઈ જતાં, ઠંડો વંટોળિયો જેમ આ(સહુ લોકોને પરેશાન કરી મૂકે છે તેમ જ, તમોગુણનાં ગાઢ આવરણથી આત્મા ઢંકાઈ જાય ત્યારે, તીવ્ર બનેલી વિક્ષેપશક્તિ વિવેકહીને મૂઢ મનુષ્યને અનેક પ્રકારનાં દુઃખો વડે હેરાન કરે છે.(૧૪૫) ટિપ્પણ :- આત્મસાક્ષાત્કાર કરીને મોક્ષ મેળવવાની કારકિર્દી અપનાવનાર સાધકની જિંદગી તો “ખાંડાની ધાર' જેવી છે. તેણે તો સતત સભાન અને સાવધ રહેવું જ પડે, એમાં જરા પણ ભૂલચૂક થાય તો, પેલી કહેવત પ્રમાણે, “કરી કમાણી એળે જાય ! જીવનનું એકમાત્ર અને અંતિમ ધ્યેય જો “મુક્તિની પ્રાપ્તિ હોય તો, કશું પણ બંધનકારક તો એને પોસાય જ નહીં ! આત્માનું એનું દર્શન સદા સ્વચ્છ, સ્પષ્ટ અને નિર્મળ જ રહેવું જોઈએ, આવો આત્મા જ સતત એની દૃષ્ટિ સમક્ષ રહેવો જોઈએ, આત્મા સર્વદા “અનાવૃત” અને “અવિક્ષિપ્ત' રહેવો જોઈએ. આમાં ક્યાંય પણ કશીય કચાશ કે ચૂક થઈ જાય તો, આત્મા સિવાયનું જે કાંઈ સઘળું “અનાત્મા’ છે, તેના તરફ તે સાધક આસક્ત બની જાય, અને પછી તો એની વસ્તુસ્થિતિ માર્ગ-ભૂલેલા મુસાફર જેવી વિષમ અને વિપરીત બની જાય ! આવું “બધન' જ એની “મુક્તિ નું ખરું વિઘ્ન બની રહે. આકાશમાં વાદળાંઓનો ધન-ઘટાટોપ જામ્યો હોય, ઠંડા હિમ જેવો વંટોળિયો પૂર-ઝડપે વાતો હોય, અને ભર-બપોર હોવા છતાં, સૂર્ય સાવ ઢંકાઈ જતાં, ચારેકોર, બસ, અંધારું જ હોય અને એવી પરિસ્થિતિ, - મુંઝવણ અને અકળામણની - સર્વત્ર વ્યાપી ગઈ હોય, એવા સંજોગોમાં, ભૂલા પડેલા મુસાફરની કેવી હેરાનગતિ થાય ! એવી જ દયનીય દશા, ગાઢ તમોગુણથી, એની આવરણશક્તિથી, જેનો આત્મા ઢંકાઈ ગયો હોય, પોતાના જ આત્માનું સાધકને દર્શન જ ન થતું હોય, અને આટલું જાણે ઓછું હોય તેમ, રજોગુણની પ્રચંડ વિક્ષેપ'શક્તિ એની બુદ્ધિને ભ્રાંત, મૂઢ અને વિવેકહીન બનાવી રહી હોય, ત્યારે તેની બની રહે ! - અંગ્રેજ ભક્ત-કવિ કાર્ડિનલ ન્યુમેન(Cardinal Newman)નાં, ગાંધીજીને પ્રિય એવાં ભજનમાં, કવિ ઈશ્વરને પ્રાર્થે છે તેમ : 'The night is dark and I am far from home, lead thou me on!' એના અનુવાદક કવિ શ્રી નરસિંહરાવ દીવેટિયા કહે છે તેમ, ધોળે દિવસે, વિવેકચૂડામણિ | ૨૮૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy