________________
હા, એક નહીં, પણ ત્રણ વાંધા છે, તે આ પ્રમાણે :
(૧) “ફૂવિનય મવા - “ર” એટલે, નજર સામે દેખાતું આ જગત, જેને દાર્શનિક-આધ્યાત્મિક પરિભાષામાં “પ્રપંચ કહેવામાં આવે છે; વિનય - એટલે, અંત, નાશ; આવી - કર્યા વિના.
એટલે, વાંધો એ કે આપણી સ્કૂલ આંખો સામે, નજરે પડી રહેલાં સંસારી જીવનવ્યવહારનો અંત હજુ આવ્યો નથી; “સંસાર' તો છે જ અને રહેવાનો પણ છે જ; માત્ર, મુમુક્ષુએ પોતાની રીતે એનો “વિલય' (નાશ, અંત) કરી દેવો જોઈએ, તો જ મુક્તિના માર્ગમાં આગળ વધી શકાય. આ થયો પહેલો વાંધો.
(૨) માત્મનઃ તત્ત્વ જ્ઞાત્વિા - આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વગર, આત્માનાં તાત્ત્વિક સ્વરૂપનું જ્ઞાન મેળવ્યા વિના; આત્માની સાચી ઓળખ જ જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી મુક્તિના પંથે પળવાનું શક્ય જ નહીં. આ જ મુદ્દાને, આ પહેલાં, શ્લોક-નં. ૬રમાં આ પ્રમાણે રજુ કરવામાં આવ્યો જ છે : માત્મનઃ તત્ત્વ તત્વજ્ઞાત્િ જ્ઞાતિવ્યમ્ ! આ થયો બીજો વાંધો.
(૩) આ પહેલાં, “શબ્દની મર્યાદા તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું જ છે - શ્લોક-નં. ૬૪. વળી, અહીં તો, કેવળ બોલવા-ખાતર બોલાતા, કથનમાત્ર ફળવાળા (મીત્રણ:), બાહ્ય-બહારના-ઠાલા-પૂલ (વાહાર્બિક) શબ્દોની જ વાત છે. આવા બાપડા-બિચારા શબ્દોનું શું ગજું ? એની તાકાત કેટલી ? આવા માત્ર શબ્દો' પર નિર્ભર રહેવું, એ પર્યાપ્ત-પૂરતું નથી, આવા શબ્દોની મર્યાદાને ઓળંગ્યા વિના, મુક્તિની પ્રાપ્તિ શક્ય નથી : આ થયો ત્રીજો વાંધો. (૬૫)
અનુવાદ :- દૃશ્ય સંસારનો વિલય કર્યા વિના, આત્માના વાસ્તવિકતાત્ત્વિક સ્વરૂપનું જ્ઞાન મેળવ્યા વિના, અને કથન-માત્ર ફળવાળા બહારના શબ્દો વડે, મનુષ્યોની મુક્તિ શી રીતે થાય ? (૬૫) - ટિપ્પણ – આમ તો અહીં પણ, જરૂરી સઘળી સમજૂતી, ઉપર, “શબ્દાર્થ' - વિભાગમાં અપાઈ જ ગઈ છે, તે છતાં, વધુ લંબાણ કર્યા વિના ટૂંકમાં, એક જ, પાયાની વાત, પર ભાર મૂકવાનો રહે છે અને તે છે, - આ શ્લોકમાંના ત્રણેય વાંધા, આચાર્યશ્રીએ, શ્લોક-નં. ૬૪માં નિર્દેશેલા “અપરોક્ષ અનુભવની આડે આવનારા છે. મોક્ષપ્રાપ્તિની અનિવાર્ય પૂર્વશરત (Indispensable pre-condition) છે, – આ “અપરોક્ષ-અનુભવ'; અને આ પૂર્વશરતને પરિપૂર્ણ કરવા માટે, આ શ્લોકમાં રજુ કરવામાં આવેલા ઉપર્યુક્ત ત્રણ વાંધોનું નિવારણ, એ તો વળી એથી યે પહેલાંની પૂર્વશરત છે !
આ અનુસંધાનમાં જ, શ્રીશંકરાચાર્યે “અપરોક્ષાનુભૂતિને લગતાં કેટલાંક સુંદર દાર્શનિક સ્તોત્રો રચ્યાં છે તે, આ મુદ્દાને સમજવામાં સહાયભૂત થાય, તેવાં છે.
શ્લોકનો છંદ : “અનુષુપ” (૬૫).
વિવેકચૂડામણિ | ૧૩૭