________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
ઇતિ શ્રુત્વા ગુરોળંક્ય પ્રશ્રણ કૃતાનતિઃ |
સ તેને સમનુજ્ઞાતો યયૌ નિર્મુક્તબન્ધનઃ પ૭ શ્લોકનો ગદ્ય અન્વય :
રૂતિ ગુઃ વાવયં કૃત્વા પ્રશ્રયેળ ત–આતિઃ નિર્મુpવશ્વઃ સર (શિષ્ય), तेन (गुरुणा) समनुज्ञातः ययौ ॥५७७॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : : (શિષ્ય:) યય યય (યા એટલે જવું, એ ધાતુનું પરોક્ષ ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) ગયો, ચાલ્યો ગયો, વિદાય થયો. તે શિષ્ય ત્યાંથી ગયો. આ શિષ્ય ત્યાંથી ગયો તે પહેલાં, આટલી ક્રિયાઓ થઈ : (૧) રૂતિ ગુર: વાક્યે કૃત્વા | તિ એટલે તે પ્રમાણે, શ્લોક-પ૭૬માં, ગુરુએ તેને જે અંગત રીતે કહ્યું, તે સાંભળીને; (૨) પ્રશ્રયેળ કૃત-આતિ: માનતિઃ (આ + નમ્ એટલે નમવું, પ્રણામ કરવા, નમસ્કાર કરવા, - એ ધાતુ પરથી બનેલું નામ : Noun) પ્રણામે, નમસ્કાર, વંદન; તાતિઃ એટલે પ્રણામ કર્યા; પ્રશ્રય એટલે વિનમ્રતા; વિનમ્રભાવે નમસ્કાર કરીને; (૩) નિવધન | સંસારનાં બંધનોમાંથી મુક્ત થયેલો; (૪) તેન (ગુરુ) સમનુજ્ઞાતિઃ | સ મનુ+જ્ઞા એટલે અનુજ્ઞા-રજા લેવી, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) ગુરુજીની અનુજ્ઞા પામીને, ગુરુએ જવાની તેને રજા આપી, ત્યારપછી જ તે ગયો. (૫૭૭) અનુવાદ :
આ પ્રમાણે ગુરુદેવનાં વચનો સાંભળીને, તેમને વિનમ્રભાવે પ્રણામ કરીને, (સંસારનાં) બંધનોમાંથી મુક્ત થયેલો તે (શિષ્ય), ગુરુદેવની અનુજ્ઞા પામીને, (ત્યાંથી) વિદાય થયો. (૫૭૭) ટિપ્પણ:
બ્રહ્મસાક્ષાત્કારની પ્રાપ્તિનું સદ્ભાગ્ય, ગુરુદેવની કૃપાનું જ પરિણામ હતું, એટલું જ નહીં પરંતુ એમાં ગુરુદેવનાં માર્ગદર્શનનો ફાળો પણ ઓછો હોતો. આમ તો, છેક શ્લોક-૫૧માં, તેણે ગુરુદેવ સમક્ષ, પોતાને મુંઝવતા છ પ્રશ્નો ( નામ: વિશ્વ: | - વગેરે) રજૂ કર્યા, ત્યારથી જ ગુરુદેવનો ઉપદેશ તો શરૂ થઈ જ ગયો હતો, અને તે છેક શ્લોક-૪૮૦ સુધી એકધારો ચાલુ રહ્યો હતો, પરંતુ ત્યારપછી, જીવન્મુક્ત જેવી વિરલ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી, આયુષ્યના અંત સુધી, શરીરને
વિવેકચૂડામણિ | ૧૧૫૯