________________
चरति; अत्र सिद्धः (तु) स्वयं, चक्रस्य मूलं इव, कल्पविकल्पशून्यः साक्षिवत् તૂષ્પ વસતિ Iધરા શબ્દાર્થ : "
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) મુદ્દેટ (હા) પુષિ વીતિ | મુ. એટલે એવો બ્રહ્મજ્ઞાની, જે, દેહાભિમાનથી મુક્ત થયો છે, દેહાભિમાન-રહિત છે, અથવા આવા બ્રહ્મજ્ઞાનીનો દેહ : એ શું કરે છે? - વતિ વિચરે છે, સક્રિય બને છે, પ્રવૃત્ત થાય છે. આ જ મુદ્દેહ-શબ્દ, આ જ અર્થમાં, શ્લોક-પ૫૦માં પણ પ્રયોજાયો છે. આ બ્રહ્મજ્ઞાની શામાં વિચરે છે? – પુષિા ભોગોમાં, ઉપભોગોમાં. કોની જેમ, તે, આ પ્રમાણે, વિચરે છે? - સંસારિવત્ સંસારી મનુષ્યની જેમ. આમ, તે, શાના કારણે, કરે છે? - પ્રારબ્ધ-પરિલ્પિત-વાસનામ:. પરિવોલ્પિત એટલે કલ્પવામાં આવેલી, બનાવટી, કૃત્રિમ; પ્રારબ્ધકર્મના યોગે કલ્પાયેલી વાસનાઓથી. | (૨) સિદ્ધ: (યં બ્રવેત્તા) સ્વયં તુ સત્ર તૂ વતિ. પરંતુ સિદ્ધ એવો આ બ્રહ્મજ્ઞાની પોતે તો, અહીં (આ ભોગોમાં) મૌન (દૂષ્ય) બેસી રહે છે. કેવી રીતે બેસી રહે છે ? સક્ષત ! સાક્ષીની જેમ, સાક્ષીભાવે. એનો એ સાક્ષીભાવ કેવો હોય છે ? ~-વિજ્ય-શૂન્ય: | સંકલ્પો-વિકલ્પો-વિનાનો, સંકલ્પ-વિકલ્પરહિત; સંકલ્પો-વિકલ્પો છોડીને. એનું આવું વર્તન કોના જેવું છે? વસ્ય મૂર્ત રૂવ એટલે કુંભારનો ચાકડો; મૂર્વ એટલે ચાકડાનું કેન્દ્રસ્થાન, આધારકાઇ (Pivot). (પપર). અનુવાદ : " દેહાભિમાન-રહિત થયેલો બ્રહ્મજ્ઞાની, પ્રારબ્ધ-કર્મનાં બળે કલ્પવામાં આવેલી વાસનાઓથી, ભોગોમાં, સંસારીની જેમ વિચરે છે; પરંતુ સિદ્ધ પુરુષ પોતે તો, ચાકડાનાં મૂળની જેમ, અહીં (ભોગોમાં) સંકલ્પ-વિકલ્પ-રહિત બનીને, સાક્ષીભાવે, મૌન બની રહે છે. (પપર) ટિપ્પણ:
જીવન્મુક્ત બ્રહ્મજ્ઞાની પણ, જગતના કોઈ પણ સામાન્ય સંસારીની જેમ જ, વિચરતો રહે છે (વરતિ). પરંતુ એની અને સંસારી વચ્ચે સૌથી મોટો તફાવત એ હોય છે કે તે “મુક્તદેહ' છે, એટલે કે તેણે દેહ વિશેનો “અહંભાવ સંપૂર્ણરીતે ત્યજી દીધો છે, એનાથી તે પૂરેપૂરો મુક્ત થઈ ગયો છે.
વિવેકચૂડામણિ | ૧૧૦૭