SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1109
Loading...
Download File
Download File
Page Text
________________ तद् यथा अहिनिल्वयिनी वल्मीके मृता प्रत्यस्ता शयीत । एवं एव इदं શરીર શેતે ! (૪, ૪, ૭) (“જેમ સાપની કાંચળી, સાપનાં શરીર પરથી પૃથક્ થયેલી, સાપે અનાત્મભાવથી ત્યજી દીધેલી, રાફડામાં પડી રહે, તેમ જ, જીવન્મુક્ત, અનાત્મભાવથી ત્યજેલું આ શરીર, મરી ગયેલા જેવું, કશા જ સંબંધ વિના, પડ્યું રહે છે.”) શ્લોકમાં, સાપની કાંચળીની ઉપમા આપતી વખતે, આચાર્યશ્રી, આ શ્રુતિવાક્યનું જ વિવરણ-વિસ્તરણ કરી રહ્યા છે, એમાં શંકા નથી. પરંતુ આ ઉપમા આપતાં પહેલાં, એ જ સંદર્ભમાં, યાજ્ઞવયે જે એક શ્લોક ટાંક્યો છે કે, અહીં, આપણી ચર્ચામાં, પ્રસ્તુત બની રહે તેવો હોવાથી, તેને ઉદ્ધત કરવાના પ્રલોભનને હું ટાળી શકતો નથી : તત્ ષ ોો મવતિ, - ___यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि स्थिताः । अथ मोऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते इति ॥ (“મોક્ષના સંબંધમાં, આ એક શ્લોક મળે છે : જ્યારે આ આપ્તકામ બ્રહ્મવેત્તાનાં હૃદયમાં રહેલી, ઈન્દ્રિયોનાં કારણરૂપ સર્વ વાસનાઓ વિનાશ પામે છે ત્યારે, પૂર્વે-મરણધર્મવાળો હોવા છતાં તે, અવિનાશી થાય છે.”) શ્લોકનો છંદ : અનુરુપ (૫૫૦) પપ૧ स्रोतसा नीयते दारु यथा निम्नोन्नतस्थलम् । दैवेन नीयते देहो यथाकालोपभुक्तिषु ॥५५१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ સ્રોતસા નીયતે દારુ યથા નિમ્નોનસ્થલમ્ દેવેને નીયતે દેહો યથાકાલોપમુક્તિષ ૫૫૧ શ્લોકનો ગદ્ય અન્વય : યથા સ્ત્રોતના વાઈ નિન-૩નત-સ્થતં નીયતે, (તથા) તે: સૈન યથાकाल-उपभुक्तिषु नीयते ॥५५१॥ શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : ૧૧૦૪ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy