________________
શ્રીસદાચારસ્તોત્ર. વેદાંતનું શ્રવણ કરે, યુક્તિઓ વડે મનન કરે, ગવડે નિત્ય અભ્યાસ કરે, તેથી આત્માને સાક્ષાત્કાર થાય છે.
વિવેક, વૈરાગ્ય, સમાદિ છ સંપત્તિ, ને તીવ્રમુમુક્ષુતા પ્રાપ્ત કરી પછી શ્રેત્રિય ને બ્રહ્મનિષ્ઠ સદ્ગની પાસેથી ઉપનિષદાદિનું આદરપૂર્વક શ્રવણ કરે, પછી ભેદને બાધ કરીને અભેદને સિદ્ધ કરવાની યુક્તિઓ વડે એકાંતમાં સ્વસ્થ મને તે સાંભળેલા વિષયનું મનન કરે, પશ્ચાત પિતાના ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવાનો નિત્ય અભ્યાસ કરે. આ સાધન વડે મુમુક્ષુને આત્માને સાક્ષાત્કાર થાય છે. ૧૮.
ગ્ય અંત:કરણવાળાને આત્માનો સાક્ષાત્કાર શબ્દથી જ થાય છે એમ જણુવે છે –
शब्दशक्तेरचिन्त्यत्वाच्छब्दादेवापरोक्षधीः । प्रसुप्तपुरुषो यद्वच्छब्दनैवानुबुध्यते ॥ १९ ॥ ..
શબ્દની શક્તિના અચિંત્યપણાથી શબ્દથી જ અપરાક્ષજ્ઞાન થાય છે. જેમ સૂતેલે મનુષ્ય શબ્દવડેજ જાગ્રતુ થાય છે તેમ. ' શબ્દનું સામર્થ્ય મનુષ્યથી ન ચિંતવી શકાય એવું છે. સર્વ અજ્ઞાત વસ્તુઓનું જ્ઞાન શબ્દવડે મેળવાય છે. શબ્દમાં રહેલી અચિંત્યશક્તિના પ્રભાવથી “તત્વમસિ”—તે બ્રહ્મ તું છે-ઈત્યાદિ શબ્દથી જ પવિત્ર ને એકાગ્ર અંતઃકરણવાળા, સસ્તી ભક્તિવાળા, ને વેદાંતના સંસ્કાયુક્ત હૃદયવાળા જિજ્ઞાસુને આત્માનું અપરોક્ષજ્ઞાન થાય છે જેમ ઘાટી નિદ્રામાં પડેલો મનુષ્ય તેનું નામ લઈને બોલાવવાથી જાગે છે, તેમ અનાદિકાલથી અવિદ્યારૂપ ઘાટી નિદ્રામાં પડેલો મનુષ્ય સદ્ગના મહાવાયરૂપ શબ્દથીજ આત્મસ્વરૂપમાં જાગ્રત થાય છે. ૧૦.
જડચેતનના વિવેકવડે ને સદ્દગુરુના ઉપદેશ શિષ્ય વેદનું અતિક્રમણ કરવા સમર્થ થાય છે એમ જણાવે છે – ' .