SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસદાચારસ્તોત્ર. પૂજાયા છતા પિતાના અનુભવવડે શોભે છે–આત્મા સ્વાનુભવથી ભિન્ન તત્ત્વ નથી. ૧૩. હવે યોગીના સ્વાધ્યાય, ધ્યાન તથા સાક્ષાત્કારના સ્વરૂપને કહે છે – मौनं स्वाध्यायश्च ध्यानं ध्येयब्रह्मानुचिन्तनम् । ज्ञानेनेति तयोः सम्यग्निषेधान्तप्रदर्शनम् ॥ १४ ॥ મન સ્વાધ્યાય છે, ધ્યાન કરવાગ્ય બ્રહ્મનું વારંવાર ચિતન ધ્યાન છે, ને જ્ઞાનવડે તે બંનેના યથાર્થ નિષેધના અવધિને સાક્ષાત્કાર છે. વાણુને નિરોધ સેવ વા તૂષ્ણભાવને પામવું એ શાસ્ત્રનું અધ્યયન છે, ધ્યાન કરવાગ્ય પરમતત્તવમાં વારંવાર પિતાના મનને જોડવું એ ધ્યાન છે, અને પરમતત્વનો અનુભવવડે વાણી તથા મનના વા મન તથા ધ્યાનના યથાર્થ નિષેધના અવધિરૂપ તત્ત્વનો સાક્ષાત્કાર થાય હવે યોગીના ભજનને વા ભેગને વર્ણવે છે-- - अतीतानागतं किंचिन्न स्मरामि न चिन्तये । रोगद्वेषं विना प्राप्तं भुंजाम्यत्र शुभाशुभम् ॥ १५॥ હું ભૂતકાલનું કાંઈ સ્મરણ કરતા નથી, ને ભવિષ્યનું કાંઈ ચિંતન કરતા નથી. અહિ પ્રાપ્ત થયેલ શુભાશુભને રાગદ્વેષવિના ભેગવું છું. આત્માનું નિરૂપણું વિચારી હું ભૂતકાલમાં પ્રાપ્ત થયેલા ભેજનને કે ભગવેલા ભેગોનું કઈ પણ મરણ કરતો નથી, અને ભવિષ્યમાં મળવાના ભોજનને કે પ્રાપ્ત થવાના વિષયોને કાંઈ પણ વિચાર કરતો નથી. મારા પ્રારબ્ધાનુસાર મને અહિં મળેલા ઉત્તમ કે કનિષ્ઠ ભેજનને વા શબ્દાદિ વિષયોને રાગદ્વેષરહિત અંતઃકરણવડે પ્રારબ્ધની નિવૃત્તિ કરવા ઉપભોગ કરું છું. ૧૫. છે. ૧૪
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy