SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તમને મળવા માટે, તથા તમે મયની રકઉપર જે ભાષ્ય રચ્યું છે તે જોવામાટે, આ શરીરનું અહિં આગમન થયું છે ” તેમનાં એવાં વચન સાંભળી આચાર્યભગવાને વિનયપૂર્વક પિતાનું તે ભાગ્ય તેઓશ્રીને બતાવ્યું. પછી શારીરિક આદિ ભાગે પણ બતાવ્યાં. તે ભાગ્યો જોઈ ભગવાન ગૌડપાદ અત્યંત પ્રસન્ન થયા. પછી “તમારું 'ચિત્ત સર્વદા બ્રહ્મચિંતનમાં રહેજે” એવો વર આપી ભગવાન ગાડપાદ અંતર્ધાન થયા. કેટલાક સમય પછી આચાર્યભગવાન કાશ્મીરદેશભSી જવા માટે વિચર્યા. માર્ગમાં તેઓશ્રીના સાંભળવામાં આવ્યું કે --“કાશ્મીરમાં શ્રીશારદાનું એક મંદિર છે. તે મંદિરને ચાર દિશાએ ચાર દ્વાર છે. તે મંદિરમાં સર્વાપીઠનામનું આસન છે. જે સર્વજ્ઞ ને પવિત્ર પુરુષ હોય તેજ તે આસન ઉપર ચઢી શકે છે. પૂર્વદેશના કોઈ સર્વજ્ઞ ને પવિત્ર પુરુષે આવીને એ મંદિરનું પૂર્વભીનું દ્વાર ઊપાડ્યું છે, પશ્ચિમદેશના કોઈ સર્વે ને પવિત્ર પુરુષે આવીને એ મંદિરનું પશ્ચિમભણીનું દ્વાર ઊઘાડયું છે, ને ઉત્તરદિશાના કોઈ સર્વ ને પવિત્ર પુરુષે આ પીને ઉત્તરદિશાનું દ્વાર ઊઘાયું છે, પણ દક્ષિણદિશામાંથી કોઈ સર્વજ્ઞ ને પવિત્ર પુરુષે આવા હજીસુધી તે મંદિરનું દક્ષિણભાનું દ્વાર ઊઘાડ્યું નથી.” પછી પોતાના શરીરનું પ્રકટવું દક્ષિણુભ શું થયેલું હોવાથી પિતાને દક્ષિણ દિશાના ગણી પિતે કાશ્મીરદેશમાં પધારી તે દેવીના મંદિરની આગળ પધાર્યા. મંદિરની સમીપ બેઠેલા સમર્થ વિદ્વાનોના પ્રશ્નોનાં યોગ્ય સમાધાનો આપી, તેમનાં ચિતોને પ્રસન્ન કરી, તેમની પૂજાનો સ્વીકાર કરી, તેમણે ઊઘાડેલા તે મંદિરના દક્ષિણદ્વારથી તેઓશ્રીએ તે મંદિરમાં પ્રવેશ કર્યો, અને સર્વાપીઠ પર આરોહણ કરી ત્યાં વાજ્યા. પછી કાશ્મીરના સર્વ પંડિતોએ, આચાર્યભગવાનના જે શિષ્ય સાથે હતા તેમણે, ને સુધન્વારાજાએ આચાર્યભગવાન નું વિધિ પૂર્વક
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy