SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવાક્યવૃત્તિસ્તાત્ર. દિપ સંસારના માર્ગના શ્રામથી બહુ પીડા પામેલા, આત્મજ્ઞાનરૂપ શીતલ તે મધુર જલનું પાન કરવાની ઉત્કટ ઇચ્છાવાળા, ને શારીરકભાષ્યાદિરૂપ ગંભીર જ્વાશયભણી જવાને અસમર્થ મનુષ્યાને માટે પરમકારુણિક પૂજ્યચરણુ શ્રીશંકરભગવાને વાક્યવૃત્તિનામના પ્રકરણગ્રંથરૂપ પ્રપાની (પરબની) રચના કરી તેમના અંતઃકરણને શીતલ તથા ક્લેશરહિત કરવાની કૃપા કરી છે. તેમાં પ્રથમ આ પ્રકહ્યુગ્રંથના શ્રવણમાં પ્રવૃત્ત થયેલા અધિકારીને નિર્વિઘ્ને બ્રહ્મના અપરક્ષ અનુભવ થવામાટે આ ગ્રંથમાં પ્રતિપાદન કરેલ અદ્રિતીયબ્રહ્મના સ્મરણપૂર્વક પેાતાના સદ્ગુરુને શિષ્યે અવશ્ય નમન કરવું જેઈએ એમ શિષ્ટાચાર જણાવતા છતા આચાર્ય ભગવાન પોતે નમતરૂપ મંગલ કરે છે:सर्गस्थितिप्रलयहेतुमचित्यशक्तिं, विश्वेश्वरं विदितविश्वमनंतमूर्तिम् निर्मुक्तबंधनमपारसुखांबुराशि, श्रीवल्लभं विमलबोधघनं नमामि ॥१॥ ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કારણરૂપ, અચિત્યશક્તિવાળા, જગના નિયંતા, વિશ્વને જાણનારા, અસંખ્ય શરીરાવાળા, અંધનથી રહિત, અપાર સુખના સાગર, [ને] નિલજ્ઞાનઘન શ્રીપ્રિયને નમું [ છું. ] ૨૦૫ જે પેાતાની માયાનામની અઘટિત ઘટના કરવામાં પરમ સમર્થ શક્તિવડે આ દૃશ્ય જગતની ઉત્પત્તિના, ઘટે તેવી રીતે આ જગતની સ્થિતિના, ને પ્રાણીએનાં તુરતમાં કુલબેગને અનુભવ કરાવનારાં કર્મોને અભાવ થયે થનારા આ જગતના પ્રલયના કારણરૂપ છે, જે મનુષ્યની બુદ્ધિથી ન સમજી શકાય એવી માયાનામની શક્તિના આશ્રયરૂપ છે, જે આ પ્રતીત થતા સમગ્ર જગતના માયાવડે
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy