________________
શ્રીઆત્મબોધ.
૧૪૫
જડ બુદ્ધિમાં કદીપણુ જ્ઞાનરવભાવ નથી, એમ છતાં પણ જીવ સર્વ દસ્યને બાહ્યદષ્ટિવડે જાણીને આત્મા અને બુદ્ધિના અવિવેકથી હું કર્તા છું, હું જાણનારો છું, એવા અવિવેકને વશ થાય છે. ૨૫.
પિતાના સ્વરૂપને નહિ જાણવાથી જીવ દુઃખાનુભવ કરે છે, અને પિતાના સ્વરૂપને જાણવાથી તે નિર્ભય થાય છે, એમ કહે છે –
रज्जुसर्पवदात्मानं, जीवं ज्ञात्वा भयं वहेत् । नाहं जीव: परात्मेति, ज्ञातं चेन्निर्भयो भवेत् ॥ २६ ॥ .
દેરડીમાં સર્પની પેઠે આત્માને જીવ જાણીને તે ભયનું વહન કરે છે. હું જીવ નથી, પણ પરમાત્મા છું, એમ જે તે જાણે છે તે નિર્ભય થાય છે. - જેમ મંદ અંધકારમાં પડેલી દેરડીને સર્પ જાણવાથી મનુષ્ય ભય પામે છે, તેમ પિતાના આત્માને જીવ જાણીને મનુષ્ય ભયને વશ થાય છે, અને જેમ દોરડીને દેરડીને રૂપે જાણવાથી મનુષ્ય નિર્ભય થાય છે, તેમ હું જીવ નથી, પણ સચ્ચિદાનંદઘન બ્રહ્મ છું, એમ જાણુને જીવ સર્વ પ્રકારના ભયથી રહિત થાય છે. ૨૬.
આત્મા સર્વ જડને પ્રકાશનારો છે, પણ બુદ્ધિ આદિ જડ પદા. વડે તે પ્રકાશ પામવાયેગ્ય નથી, એમ કહે છે –
आत्मावभासयत्येको, बुद्धयादीनींद्रियाणि च । . दीपो. घटादिवत्स्वात्मा, जडैस्तै वभास्यते ॥ २७ ॥
બુદ્ધિ આદિને અને ઇન્દ્રિયને એક આત્મા પ્રકાશે છે, પણ સ્વાત્મા તે જ વડે પ્રકાશી શકતાં નથી. જેમ દીવે ઘટાદિને પ્રકાશે છે, પણ તે ઘટાદિ પદાર્થો દીવાને પ્રકાશી શકતા નથી તેમ.
૧૦