SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ' << તેમને તે દીન સ્ત્રીના કુટુંબનું દારિદ્ર દુર કરવાની ખલવતી ઈચ્છા ઉપજ. તેમણે આ બ્રાહ્મણના કુટુંબનું દારિદ્ર દૂર કરવા મનેહર શબ્દાવડે લક્ષ્મીજીની પ્રાર્થના કરી, તે પ્રાર્થનાથી પ્રસન્ન થયેલાં લક્ષ્મીજીએ ભગવાન શકરને કહ્યું કે:- આમણે પૂર્વે દ્રવ્યની પ્રાપ્તિ થાય એવું કાંઈ સુકૃત કર્યું નથી, માટે આ જન્મમાં તે મારી કૃપાને પાત્ર શી રીતે થઇ શકે ? ” ભગવાન શ ́કરે તેના ઉત્તરમાં કહ્યું કેઃકદાચ આ કુટુંબનાં માણસાએ પૂર્વે દ્રવ્ય પ્રાપ્ત થાય એવુ કાં સુકૃત ન કર્યું હોય તે। આ જન્મમાં આ બાઇએ મને એક આમળું આપવારૂપ પુણ્ય કર્યું છે, માટે તમારે તે પુણ્યના લરૂપે તેમના ઉપર કૃપા કરવી જોઇએ.” ભગવાન શંકરનાં આવાં વચનેાથી પ્રસન્ન થયેલાં લક્ષ્મીજીએ તે બ્રાહ્મણના ધરમાં ઘણાં સેનાનાં આમળાં પ્રકટાવ્યાં. પોતાના ગુરુની પાસે એ વર્ષ સુધી રહી, વેદાદિ શાસ્ત્રનુ અધ્યયન કરી, સાતમે વર્ષે શકરભગવાન પોતાને ઘેર આવી અ યન કરેલા વેદાદિ સત્શાસ્ત્રનું પુન: અધ્યયન કરતા છતા તથા યોગ્ય વિદ્યાર્થીઓને તેનુ અધ્યયન કરાવતા છતા પોતાનાં માતુશ્રીની ભાવ પૂર્વક સારી રીતે સેવા કરતા હતા. તેમનાં માતુશ્રી તેમની મને હર વાણી, બુદ્ધિ, વિદ્યા, ભક્તિ ને શરીરની સુંદરતા જોઇ વારંવાર બહુ હર્ષ પામતાં હતાં. ' શ’કરભગવાનના ઘરથી નદી થાડી દૂર હતી, તેથી પેાતાનાં માતુશ્રીને ઊનાળાના દિવસેઃમાં તે નદીએ સ્નાન કરવા જવામાં બહુ શ્રમ જણાય છે એમ જાણી શકરભગવાને તે નદીના અધિષ્ઠાતા દેવની સ્તુતિ કરી, તેથી તે નદીના પ્રવાહ શકરભગવાનના ઘરની આગળથી વહેવા લાગ્યા.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy