SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૫ જાણી કાળની કારાવાસમાં વિનાશી સમજે તે અન્યને કાળાતીત કે નિત્યમુક્ત સમજે કઈ રીતે? છતાં જેમ સૂર્યને રાહુથી ગ્રસિત માનવાથી સૂર્યમાં કોઈ ફરક પડતો નથી તેમ જ્ઞાનીને અજ્ઞાની ધારે તેવો ગણે, ઇચ્છે તેવો કલ્પ અને પોતાની અલ્પમતિથી મનઘડંત પ્રમાણપત્રોથી કે નિંદાથી નવાજે, છતાં જ્ઞાનીને ન તો અજ્ઞાનીના પ્રમાણપત્રોની અપેક્ષા છે કે ન તો તેવા અજ્ઞાનીની નિંદાથી વિક્ષેપ હોય છે. તે તો ગગનના સૂર્ય જેમ અવિરત પ્રકાશમાન થઈ સૌને પ્રકાશે છે, ભયભીતને અભય પ્રદાન કરે છે, નિર્ધનને આત્મધનનો ખજાનો દર્શાવે છે. પરોપકારની અપેક્ષા ન હોવા છતાં તેના સંપર્કમાં આવનાર સૌ કોઈ પુણ્યશાળી બને છે અને પરમ પવિત્ર જ્ઞાનના પંથે પ્રયાણ કરી એવી રીતે આગળ વધે છે કે પછી કદી અજ્ઞાનના અંધારા જેવા જગતમાં તેઓ પાછા ફરતા નથી અને પરમપદને પામી સંસાર તરી જાય છે. (છંદ-અનુષ્ટ્રપ) अहिनिर्बयनीवायं मुक्तदेहस्तु तिष्ठति । इतस्ततश्चाल्यमानो यत्किञ्चित् प्राणवायुना ॥५५०॥ પ્રાણવાયુના રૂતઃ તાઃ- = પ્રાણવાયુના લીધે તેનું શરીર આમતેમ ન્જિગ્વિ રાજ્યમાનઃ = લગાર હરતું ફરતું દેખાય છે. तु अयं मुक्तदेहः = છતાં આ દેહમુક્ત (દેહાધ્યાસથી મુક્ત જ્ઞાની) ઃિ નિર્જયની રૂવ તિષ્ઠતિ = જેમ સાપ કાંચળી ઉતારીને તેનાથી અલગ રહે છે તેમ રહે છે. | (છંદ-અનુષ્ટ્રપ) स्रोतसा नीयते दारु यथा निम्नोन्नतस्थलम् । दैवेन नीयते देहो यथाकालोपभुक्तिषु ॥५५१॥ = જેવી રીતે यथा
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy