________________
वस्तुनि क्रीडति
तथा एव
विद्वान्
निर्ममः
निरहम्
सुखी रमते
=
=
=
=
=
=
=
(મવાની) વસ્તુમાં રમ્યા કરે છે.
તેવી જ રીતે
બ્રહ્મજ્ઞાની
મમત્વબુદ્ધિ વગરનો (અને)
અહંકાર વગરનો (થઈને)
સુખપૂર્વક
(આત્મામાં જ) ૨મણ કરે છે.
સંસારબંધનથી મુક્ત થયેલો જીવન્મુક્ત જ બ્રહ્મજ્ઞાનીઓમાં અર્થાત્ પરોક્ષજ્ઞાનવાળા પંડિતોમાં કે શાસ્ત્રવેત્તા જેવા શ્રોત્રિય વિદ્વાનોમાં સર્વોત્કૃષ્ટ છે તે તો આત્મરમણમાં જ તૃપ્ત છે, તેથી તેને દેહના દુ:ખનું કે શરીરની ભૂખનું સ્મરણ સતાવતું નથી. જેમ રમતમાં મગ્ન બાળક પડે છતાં દુઃખનું સ્મરણ ન રહેતાં ઊભો થઈ પુનઃ ૨મત શરૂ ક૨ે છે, તથા રમતની મસ્તીમાં તેને ભૂખ, ત૨સ કે સ્નેહીની યાદ સતાવતી નથી, તેવું જીવન્મુક્તનું સમજવું. નિજાનંદી મસ્તી જેવી કશ્તિના સાથમાં તેને સર્વસ્વનું વિસ્મરણ છે. અર્થાત્ પોતાના ‘સ્વ’સ્વરૂપનું તે વિશેષરૂપે થયેલું સ્મરણ છે. તત્ત્વાર્થે તો નિષ્ઠાપૂર્વકના આત્મરમણમાં જ અનાત્માનું વિસ્મરણ અનુસ્મૃત છે.
विदां अशनम् चिन्ताशून्यं अदैन्यम् भैक्षम्
૭૯૫
(છંદ-શાર્દૂલવિક્રીડિત)
चिन्ताशून्यमदैन्यभैक्षमशनं पानं सरिद्वारिषु
स्वातंत्र्येण निरंकुशा स्थितिरभीर्निद्रा स्मशाने वने ।
वस्त्रं क्षालनशोषणादिरहितं दिग्वास्तु शय्यामही सञ्चारो निगमान्तवीथिषु विदां क्रीडा परे ब्रह्मणि ॥५३६॥
=
=
=
બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન
ચિંતા અને દીનતા વગરનું
ભિક્ષામાં મળેલું હોય છે.