________________
७७८
સેવા માટે તત્પર રહેશે, મારા પગ આપ ચૈતન્યમૂર્તિની જ પરિક્રમા કરશે. મારી વાણી આપની જ સ્તુતિ અર્થે સક્રિય રહેશે, મારી બુદ્ધિ હવે સ્વતંત્ર રીતે કોઈ પણ નિર્ણય કદાપિ લેશે નહીં. માટે જ આપના નિમ્નતર અંગ જેવા ચરણમાં મારા ઉત્કૃષ્ટ અંગ જેવું શિર હું ઝુકાવું છું, તેને શ્રીફળ સમજી સ્વીકારજો. હવે હું ઉપાધિરૂપે મારો રહ્યો નથી અને છતાં આપની સેવાસુશ્રુષા માટે નિત્ય તત્પર છું. આપની જ્ઞાનાગ્નિ જેવી પરમ પવિત્ર દષ્ટિમાં મેં મારા અહંકારની આહુતિ આપી છે તેથી હવે તો આપ જ મારા જીવનરથના સારથિ છે. જ્યાં ઇશારો કરશો ત્યાં આ ઉપાધિ પ્રતિક્રિયા વિના ચાલી જશે યા તો ઉપાધિના શેષ સમય સુધી આપ કહેશો તેમ સ્થગિત થશે. પરંતુ તેને પોતાને નથી હવે કોઈ દિશા કે રસ્તાઓ, નથી કોઈ ગંતવ્ય સ્થાન કે ધારેલું કોઈ લક્ષ્ય. છતાં જે કોઈ લક્ષ્ય હોય, પ્રયત્ન હોય, દિશા હોય તે સર્વ કાંઈ આપના દિવ્ય ચરણ કમળ પ્રત્યેની જ અવશેષ છે.
(છંદ-પુષ્મિતાઝા) इति नतमवलोक्य शिष्यवयं - સધાતાત્મિસુવં પ્રવૃતત્ત્વમ્ | प्रमुदितहृदयः स देशिकेन्द्रः
પુનવિહિં વવઃ પર મહાત્મા ફરવા इति
= આ પ્રમાણે સમધાતાત્મિસુઉમ્ = આત્મારૂપી સુખ પ્રાપ્ત કરેલા, પ્રબુદ્ધતત્ત્વમ્ = તથા તત્ત્વબોધ સંપાદન કરેલા શિષ્યવર્યમ્ = ઉત્તમ શિષ્યને નાં નવોચ = પ્રણામ કરતો જોઈને પ્રમુકિતહૈયઃ = આનંદથી ઊભરાતા હૃદયથી પર મહાત્મા સ: = શ્રેષ્ઠ મહાત્મા એવા તે देशिकेन्द्रः = ગુરુદેવ