________________
नभः यथा
= આકાશની જેમ કાલીન સામ્ = અસંગ (અને) ઉદાસીન પરિજ્ઞાય વિત્ = જાણી લીધાથી ક્યારેય ભાવિ મિઃ = ભાવિ કર્મોથી વિન્વિત્ ન ગ્નિધ્યક્ત = જરા પણ લપાતો નથી.
જ્ઞાની પુરુષ પોતાને આકાશની જેમ અસંગ અને ઉદાસીન જાણી લીધા પછી ક્યારેય પણ ભાવિ કર્મોથી લેશમાત્ર લેપાયમાન થતો નથી કે બંધાતો નથી.
આકાશ પ્રાત:કાળના ગુલાબી રંગોથી કે સંધ્યાટાણે આકાશમાં પુરાતી રંગોળીથી રંગીન થતું નથી અને તે જ પ્રમાણે ઉનાળાની ભીષણ ગરમીથી ન તો આકાશ ગરમ થાય છે અગર ન તો ચોમાસાની મુશળધાર વર્ષોથી તે ભીનું થાય છે. હોળીના તહેવારમાં અગ્નિ પ્રગટાવવાથી ન તો આકાશમાં આગ લાગે છે કે વંટોળીયાના મેલથી આકાશ ગંદુ થાય છે. બંદુકની ગોળીઓ અને રોકેટના પ્રહારોથી આકાશમાં છીદ્રો પડતાં નથી કે ઉત્તરાયણની પતંગોથી આકાશને ખલેલ કે વિક્ષેપ પણ પહોંચતો નથી; કારણ કે આકાશ તો એવી તમામ પ્રવૃત્તિથી અસંગ છે, ઉદાસીન છે, નિર્લેપ છે તથા અસ્પૃશ્ય છે. તે જ પ્રમાણે જ્ઞાની પુરુષ પોતાને આકાશ જેવો સર્વવ્યાપ્ત તથા અસંગ આત્મા માને છે, તેથી આત્મસ્વરૂપે રહેનારા જ્ઞાનીને ભૂતકાળના સંચિત કર્મો કે ભવિષ્યના આગામી કર્મો સ્પર્શ કરતા નથી, તો તેવા કર્મોથી જ્ઞાનીનું જીવન પ્રભાવિત થાય તેવો પ્રશ્ન જ પેદા થતો નથી.
- પોતાને આત્મા જાણનારો જ્ઞાની કર્મમાં આસક્ત થતો નથી તથા પોતાને કર્મનો કર્તા પણ માનતો નથી. આમ, જેને કર્મ કે કર્તાનો સંગ નથી, તેને કર્મના ફળનો કે કર્મના ભાવિ પરિણામનો સંગ કે સંબંધ હોય, તેવું કદાપિ માની શકાય નહીં. જે કર્તા નથી તે કર્મફળનો ભોક્તા કદાપિ હોઈ શકે નહીં. તદુપરાંત, આત્મસ્વરૂપે તો જ્ઞાની ભૂત, ભવિષ્ય અને વર્તમાન જેવા ત્રણે કાળથી આકાશ જેમ અલિપ્ત હોય, તો એવા કાળાતીત આત્મજ્ઞાનીને