SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૯ તેવા જ્ઞાન પશ્ચાત્ કોઈ પણ હેતુપૂર્વકના સબળ, સઘન પુરુષાર્થ કે પ્રયત્ન વિના, હાથથી છીપલી પાછી સરી પડી. તેમ આત્માના જ્ઞાનમાં કે “હું બ્રહ્માંડનું અધિષ્ઠાન પરબ્રહ્મ છું', તેવા જ્ઞાનમાં અનાયાસે જ આરોપિત વસ્તુઓ સરિયામ સરી પડે છે. તેના ત્યાગ માટે કોઈ વિશેષ સહેતુક પુરુષાર્થની આવશ્યકતા નથી. અરે! જાગૃતિમાં આવતાં જ સ્વપ્નસૃષ્ટિ વિના પ્રયત્ન જેમ વિલય પામે છે, દોરીના જ્ઞાનમાં જેમ ત્યાગ ન કરવા છતાં સર્પ આપોઆપ ત્યજાઈ અદશ્ય થાય છે, તેવી જ રીતે હું અદ્વય, અક્રિય, પરબ્રહ્મ છું. “સ્વયમેવ પરંવ [મયમયિમ્ ” એવા જ્ઞાનમાં મુજ બ્રહ્મમાં આરોપિત જે કંઈ વસ્તુઓ અજ્ઞાનકાળે જણાતી હતી તે સર્વનો વિશેષ પ્રયત્ન વિના આપોઆપ સહજ નિષેધ થઈ જાય છે. | (છંદ-ઉપજાતિ) समाहितायां सति चित्तवृत्तौ परात्मनि ब्रह्मणि निर्विकल्पे । _ न दृश्यते कश्चिदयं विकल्पः પ્રકલ્પમાત્રઃ પરિશિષ્યતે તતઃ રૂ૬૬ll નિર્વિકલ્પે સતિ = નિર્વિકલ્પ, સત, બ્રહ્મસ્વરૂપ परात्मनि = પરમાત્મામાં સાહિતાયાં વિત્તવૃત્તી = અંતઃકરણની વૃત્તિ સમાધિસ્થ થતાં મયે શ્ચિત્ વિઝા: = આ (સંસારરૂપ) કોઈ વિકલ્પ न दृश्यते = જોવામાં આવતો નથી. તત: = પછી તે प्रजल्पमात्रः = (અજ્ઞાનજન્ય) પ્રલપન માત્ર परिशिष्यते = અવશેષ રહે છે. અંતઃકરણની અશેષ વૃત્તિઓ, નિર્વિકલ્પ સત-બ્રહ્મમાં સ્થિર થતાં સંસારરૂપી કોઈ વિકલ્પ શેષ જણાતો નથી. પરંતુ તત્પશ્ચાત તો માત્ર
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy