________________
૬૧૨
સાથે આત્માનું શંકા અને સંદેહ રહિત ઉત્તમ કે શુદ્ધ જ્ઞાન અને દઢ વૈરાગ્ય સાથે મળીને સ્વર્ગના સામ્રાજયનું શાશ્વત સુખ પ્રદાન કરે છે. આવું સુખ મુક્તિરૂપી યુવતીના વ્યયવિહીન સૌંદર્યદ્વાર સમાન છે. માટે તે સાધક! તારા શ્રેય કે આત્મકલ્યાણ માટે સર્વમાં નિસ્પૃહ થઈને સદા સર્વદા સત સ્વરૂપ આત્મામાં તારી બુદ્ધિને સ્થિર કરી સ્થિતપ્રજ્ઞ થા અગર બ્રહ્મમાં નિષ્ઠાવાન થઈને બ્રહ્મનિષ્ઠ થા.
(છંદ-શાર્દૂલવિક્રીડિત) आशां छिन्धि विषोपमेषु विषयेष्वेषैव मृत्योः सृतिः त्यक्त्वा जातिकुलाश्रमेष्वभिमतिं मुञ्चातिदूरात् क्रियाः । देहादावसति त्यजात्मधिषणां प्रज्ञां कुरुष्वात्मनि त्वं दृष्टाऽस्यमलोऽसि निर्दयपरं ब्रह्मासि यद् वस्तुतः ॥३७८॥ ત્ર વિષયો પપુ વિષયેષુ = તું વિષ જેવા વિષયોની आशां छिन्धि
= આશા છોડી દે. एषा एव मृत्योः सृतिः = આ જ મૃત્યુનો માર્ગ છે. નાતિવૃત્તાપુ મમમતિમ્ = જાતિ, કુલ અને આશ્રમનું અભિમાન त्यक्त्वा
= છોડીને अतिदूरात् क्रियाः मुञ्च = (સર્વ) ક્રિયાઓને દૂરથી જ ત્યાગી દે. असति देहादौ
= દેહ વગેરે મિથ્યા પદાર્થો ઉપરની आत्मधिषणां त्यज. = આત્મબુદ્ધિ ત્યજી દે (અને) आत्मनि प्रज्ञां कुरुष्व = આત્મામાં જ બુદ્ધિ કર. यद् वस्तुतः
= કારણ કે વસ્તુતઃ વં તૃષા ગતિ, મમતઃ સિ= તું દષ્ટા છે, વિશુદ્ધ છે, નિર્ણય પર વહ્ય સિ = અદ્વિતીય પરબ્રહ્મ તું જ છે.
આદિ શંકરાચાર્યજીએ દઢ વૈરાગ્યનો ઉપદેશ આપવા માટે વૈરાગ્યની જે સૂક્ષ્મ વિચારણા છ શ્લોક દ્વારા આરંભેલી હતી તેનું સમાપન