________________
૪૮૫
વિન્ = હે વિદ્વાન, માતિ = જણાય યાવતા = જ્યાં સુધી તાવતુ = ત્યાં સુધી નીવન તો: = જીવ અને જગતની નિરન્તરમ્ = નિરંતર પ્રતીતિઃ = પ્રતીતિ સ્વાધ્યાસાપનાં ગુરુ = પોતાના સ્વનવ૬ = (જાગેલી વ્યક્તિને) અધ્યાસને દૂર કર. જેવું સ્વપ્ન જણાય છે તેવી
| (છંદ-અનુષ્ટ્રપ) निद्राया लोकवार्तायाः शब्दादेरपि विस्मृतेः ।
क्वचिन्नावसरं दत्वा चिन्तयात्मानमात्मनि ॥२८७॥ निद्रायाः
= નિદ્રામાં लोकवार्तायाः = લોકોની નિષ્પયોજન વાર્તાઓમાં शब्दादेः अपि = શબ્દ આદિ વિષયોના અનુભવમાં (કે) विस्मृतेः
= આત્મસ્વરૂપની વિસ્મૃતિમાં વવવત્ મવસર ન હતા = ક્યારેય સમય ગાળ્યા વગર आत्मनि
= અંતઃકરણમાં आत्मानम्
= આત્માનું चिन्तय
= ચિન્તન કર. * હે વિદ્વાન ! હે મુમુક્ષુ ! હે વિવેકી ! જ્યાં સુધી તને તારો જીવાત્મા અને દશ્ય જગત સ્વપ્ન જેમ મિથ્યા છે એવી પ્રતીતિ કે ખાત્રી ન થાય ત્યાં સુધી તારે તારા અધ્યાસને દૂર કરવા નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવા સૂચનનું તાત્પર્ય તો એવું જ છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સાધકે ઉતાવળા થવાની જરૂર હોતી નથી. પરંતુ ખૂબ સાવધાનીપૂર્વક ધીરે ધીરે જગત અને જીવના મિથ્યાત્વને, અનિત્યત્વને, અસત્ત્વને વિવેક દ્વારા પારખવું જોઈએ. આવા પ્રયત્નમાં જો મન વારંવાર પ્રતિક્રિયા કરે કે આત્મચિંતન ક્યાં સુધી કરવું, ધ્યાન કે નિદિધ્યાસન કેટલાં વર્ષો કરવું, અંતઃકરણ શુદ્ધિ