SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ મનોવાવામગોવરમ્ = મન અને વાણીનો અવિષય, अप्रमेयम् = કોઈથી માપી ન શકાય તેવું અનાઃિ -મનન્તમ્ = આદિ કે અંત વગરનું, पूर्णम् = પૂર્ણ (અને) મહત્-મહે: = મહાન જ્યોતિ સ્વરૂપ છે. अहेयमनुपादेयम् ब्रह्म મહેયમ્ - બ્રહ્મતત્ત્વ ત્યાજ્ય નથી માટે તેને મહેયમ્ કહ્યું છે. બ્રહ્મ તો આપણું પોતાનું અભેદ આંતર સ્વરૂપ છે અને મનુષ્યમાત્ર હું', “, હું, અગર “મમ્', “અદમ્' એવા સર્વનામથી પોતાનો પોકાર કરીને અંતે આત્માનું જ કે બ્રહ્મતત્ત્વનું જ નિદર્શન કરે છે, તેથી કોઈ પોતાના આત્માનો ત્યાગ કરી શકે નહીં. ત્યાગ તેનો થાય જે આપણાથી જુદું હોય, ભિન્ન હોય અને જડ હોય. શરીર આપણું સ્વરૂપ નથી, માટે તે હેયમ્ છે કે ત્યાજય છે. દુઃખ આપણું સ્વરૂપ નથી, માટે જ નિરંતર દુઃખનો ત્યાગ કરવા આપણે તત્પર છીએ. પરંતુ બ્રહ્મ કે આત્મા તો આપણું અભેદ, અદ્વિતીય નિજસ્વરૂપ છે, તેથી તેનો ત્યાગ શક્ય નથી. ઉપરાંત તે આનંદસ્વરૂપ છે માટે જ કોઈ પોતાના સુખ કે આનંદનો ત્યાગ થાય તેમ ઇચ્છતું નથી. આવું હોવાથી બ્રહ્મને મહેચમ્ કહ્યું છે. મનુપાયમ્ અર્થાત્ જે ગ્રાહ્ય નથી તે બ્રહ્મ છે. બ્રહ્મતત્ત્વ કોઈને પણ અગ્રાહ્ય નથી. સૌને પ્રાપ્ત જ છે. એટલું જ નહીં પરંતુ દેહના જન્મ પૂર્વે પણ બ્રહ્મતત્ત્વ હતું અને નાશ પછી પણ તે રહેવાનું છે. આમ, બ્રહ્મનો કોઈ કાળે અભાવ થતો નથી. તે તો પ્રાણી માત્રને સર્વ કાળે, સર્વ દેશમાં, સર્વ રીતે ગ્રાહ્ય જ છે. તેથી આત્મા કે બ્રહ્મ, ગ્રહણ કરવાની વસ્તુ જ નથી અને જે પ્રાપ્ત જ હોય તેની પ્રાપ્તિની ઇચ્છા કોઈ ભ્રાંતપુરુષ જ કરી શકે. વાસ્તવમાં તો બ્રહ્મપ્રાપ્તિને પ્રાપ્તસ્ય પ્રાતઃ' જ કહેવાય છે. તત્ત્વાર્થે તો બ્રહ્મ સૌને પ્રાપ્ત કે ગ્રાહ્ય જ છે. છતાં જો તેનું વિસ્મરણ થઈ ગયું હોય અગર દેહાત્મબુદ્ધિ દ્વારા આત્મસ્વરૂપ આચ્છાદિત થઈ ગયું હોય તો
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy