________________
૩૦૮
(છંદ-અનુષ્ટ્રપ) देहतद्धर्मतत्कर्म तदवस्थादिसाक्षिणः ।
सत एव स्वतः सिद्धं तद्वैलक्षण्यमात्मनः ॥१५॥ વેદ
= સ્થૂળ શરીર, તદ્-ઘર્મતદ્-વર્મ
= તેનાં કર્મ, ત૬–મવસ્થા-સાક્ષઃ = અને તેની અવસ્થાઓના સાક્ષી सतः आत्मनः = સતસ્વરૂપ આત્માનું તત્ ચૈતHખ્યમ્ = તેનાથી જુદાપણું સ્વતઃ ઇવ સિદ્ધમ્ = એની મેળે જ (કોઈ પણ પ્રમાણ વિના)
સિદ્ધ થાય છે.
ઉપરોક્ત ત્રણ શ્લોકની ચર્ચાનો સાર જણાવતા જણાવાયું છે કે દેહ અને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ કે વિકારોરૂપી દેહના ધર્મો તથા જોવું, સાંભળવું, સ્વાદ લેવો, સૂંઘવું, શ્વાસ લેવો, પાચન કરવું, મળમૂત્રનું વિસર્જન કરવું વગેરે જેવા દેહના કર્મો તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી દેહની અવસ્થાઓનો આત્મા સાક્ષી છે. માટે શાસ્ત્રોમાં તેને અવસ્થાત્રયસાક્ષી કહેવાય છે અને પ્રસ્તુત શ્લોકમાં પણ વિસ્થાતિ સક્ષr: એવી રીતે ઉલ્લેખ કરાયેલો છે. તેથી સ્પષ્ટ થાય છે કે સાક્ષી અને સાક્ષ્ય બને એક હોઈ શકે નહીં. આમ હોવાથી દેહ, તેના ધર્મો, કર્મો કે અવસ્થાઓથી આત્મા ભિન્ન, ન્યારો કે વિલક્ષણ છે, તેવું સ્વતઃ સિદ્ધ થાય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) कुल्यराशिर्मासलिप्तो मलपूर्णोऽतिकश्मलः । कथं भवेदयं वेत्ता स्वयमेतद्विलक्षणः ॥१६०॥